Chapter : ઝકાત
(Page : 248)
સવાલ(૩૪૭–પર):– એક બાઈ પાસે છ તોલા સોનું અને અઢી હજાર રૂપિયા રોકડા છે, તેના માથે કાંઈ ઉધાર નથી, તો શું એ બાઈ પર ઝકાત તથા કુર્બાની વાજિબ છે ? બે વર્ષ ઉપર માત્ર છ તોલા સોનું જ હતું, જેની ઝકાત આપી ન હતી તો શું તેની પણ ઝકાત આપવી પડશે ?
જવાબ(૩૪૭–પર):– સદરહુ બાઈ ઉપર ઝકાત તથા કુર્બાની વાજિબ છે, સોનાની બજાર ભાવે કિંમત આંકીને રોકડા રૂપિયા સાથે મેળવીને અંકે ચાલીસમો ભાગ દેવો પડશે,સોનાનો નિસાબ સાડા સાત તોલા છે,એથી ઓછા ઉપર ઝકાત નથી,પણ જો તેની સાથે થોડીક પણ ચાંદી અથવા રોકડી રકમ હોય તો સોના ની કિંમત કરીને ચાંદીનો નિસાબ પુરો થવાથી વીતેલા વર્ષની ઝકાત, કુર્બાની વાજિબ થશે. કુર્બાની ની કિંમત જેટલા રૂપિયા ખયરાત કરી આપે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે. (આલમગીરીઃ ૧/૧૭૯)
Log in or Register to save this content for later.