Chapter : હજ્જે બદલના અહકામ
(Page : 261)
સવાલ(૩૭૪–૪):– હજ્જે બદલ માટે જનાર માણસે પોતાની હજ્જ કરેલી હોવી જરૂરી છે ? અગર પોતાની હજ્જ કરી ન હોય તો હજ્જે બદલ કરવા જઈ શકે છે કે નહિં ?
જવાબ(૩૭૪–૪):– હનફી સરણીમાં જરૂરી નથી,એટલે જેણે પોતાની હજ્જ અદા કરી ન હોય તેવો માણસ પણ હજ્જે બદલ કરવા જઈ શકે છે,પરંતુ મકરૂહે તહરીમી છે,જેથી એવા માણસને મોકલવો બેહતર છે કે જેણે પોતાની હજ્જ અદા કરી હોય. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(શામીઃ ૪/ર૧. હિદાયાઃ ૧/ર૯૭)
Log in or Register to save this content for later.