Chapter : મસાઈલે એ'તિકાફ
(Page : 55)
અમુક મોટા શહેરોમાં બહુમાળી ઇમારતોના કોઇ ભાગને નમાઝ પઢવા માટે ખાસ કરી આપવામાં આવે છે અને તેમાં પાંચ ટાઇમની નમાઝો સિવાય જુમ્અહ અને ઇદૈનની નમાઝો પણ થાય છે અને ત્યાં દૂર દૂર સુધી કોઇ કાયદાકીય મસ્જિદ પામવામાં આવતી નથી, તો આવા જમાઅતખાનામાં એતિકાફ દુરુસ્ત થશે યા નહિ ? તો આ વિશે કોઇ સ્પષ્ટ મસ્અલાનો અંશ ન મળ્યો. અલબત્ત, પુરુષોના એતિકાફ માટે શરઇ મસ્જિદની શર્તથી સ્પષ્ટ રીતે આ જ માલૂમ થાય છે કે ત્યાં એતિકાફ દુરુસ્ત નથી, પરંતુ બીજી બાજુ ફુકહાએ કિરામ (રહ.)એ ઓરતોના એતિકાફના મસ્અલામાં તેમની ”મસ્જિદે બૈત”ને મસ્જિદના હુકમમાં કરાર દીધી છે. એટલા માટે જરૂરતના સમયે જમાઅતખાનામાં એતિકાફને પણ દુરુસ્ત ઠેરવવો જોઇએ. – અનુવાદક (આલમગીરી : ૧/ર૧૧, કિતાબુલ મસાઇલ : ર/૧ર૪)
Log in or Register to save this content for later.