Chapter : રોઝા ન તોડનાર બાબતો
(Page : 257)
સવાલ(૩૬૬–૧ર):– રમઝાન શરીફની રાતોમાં સોહબત કર્યા બાદ સેહરીના વખતમાં ફકત હાથ મોઢું ધોઈ કોગળા કરી સેહરી કરે તો રોઝો થશે કે નહિં ? સેહરી પછી કોઈ ગુસલ કરે તો કાંઈ વાંધો આવશે ?
જવાબ(૩૬૬–૧ર):– જનાબત એટલે કે મોટી નાપાકી જેમાં ગુસલ વાજિબ થાય છે તેવી હાલતમાં ખાવુ–પીવું વુઝૂ કર્યા વિના મકરૂહે છે,જેથી ગુસલથી આળસ આવતું હોય તો કમ અઝ કમ વુઝૂ કરી સેહરી કરવી જોઈએ, પરંતુ રોઝામાં કાંઈ ઉણપ આવશે નહિં,વિના વાંધે દુરૂસ્ત લેખાશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (આલમગીરીઃ૧/ર૦૦)
Log in or Register to save this content for later.