Chapter : નિકાહને લગતા વિવિધ મસાઈલ
(Page : 313)
સવાલ (૪૯ર–૧૦ર) :– છોકરાએ પોતાના મનપસંદ છોકરી સાથે શાદી કરવી કે માં–બાપ જયાં રાજી હોય ત્યાં કરવી ? છોકરીની પસંદગીમાં બાપ રાજી હોય અને માં નારાજ હોય તો બન્નેમાંથી કોની વાત માનવી ?
જવાબ (૪૯ર–૧૦ર) :– શરીઅતે યુવાન છોકરા,છોકરીને નિકાહ બાબત ખુદ મુખ્તાર બનાવ્યા છે,ઈચ્છે તેની સાથે કુફુમાં નિકાહ કરી શકે છે,માં–બાપ કે વાલી બરજબરી દબાણ કરી શકતાં નથી,પરંતુ માં–બાપની સલાહ–સંમતિ થી નિકાહ કરવા બેહતર છે,જાઈઝ વાતોમાં શકય સુધીમાં બાપને રાજી રાખવા જોઈએ,એમાં જ બેહતરી છે,જો માં–બાપમાં મતભેદ હોય તો બાપની વાત માનવી જોઈએ,મા–બાપે નિકાહની સગાઈમાં દીનદારીને સરસાય આપવી જોઈએ.જેમકે અલ્લાહના રસૂલ (સ.અ.વ.)એ સલાહ આપી છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(મિશ્કાતશરીફઃર૬૭)
Log in or Register to save this content for later.