ગાંડાએ કબૂલ કરેલ નિકાહ.

Chapter : નિકાહ સહીહ નથી.

(Page : 294)

સવાલ(૪૪૮–પ૮):–દીવાના તથા બે અકકલ આદમીના નિકાહમાં ઓરત આપી શકાય કે નહિં ? અગર દીવાનગીની હાલતમાં કોઈ નિકાહ થયા હોય તો નિકાહ સહીહ ગણાશે કે નહિ ? એનો શરીઅતમાં શું હુકમ છે ?

જવાબ(૪૪૮–પ૮):–ગાંડાએ કબૂલ કરેલ નિકાહ દુરૂસ્ત લેખાશે નહિં, બાતિલ લેખાશે. તલાક લેવાની જરૂરત નથી,તેણી કોઈ પણ જાતના વાંધા સિવાય બીજા પુરૂષ સાથે નિકાહ કરી શકે છે, કારણ કે ગાંડાનો મામલો માન્ય નથી,અને જો અકકલ અને હોંશીયારીની સાથે નિકાહ કબૂલ કર્યો હોય બાદમાં ગાંડપણ આવ્યું હોય તો નિકાહ દુરૂસ્ત હોવાથી છુટાછેડા લીધા વિના તેણી બીજા નિકાહ કરી શકતી નથી. એજ અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(આલમગીરીઃ ૧/ર૬૭)

Log in or Register to save this content for later.