ખોટા રિવાજોને સહકાર આપવો.

Chapter : શાદીમાં બિન ઈસ્લામી રિવાજો

(Page : 302)

સવાલ(૪૬પ–૭પ):–ઉપરોકત સવાલ નંબર (૭ર)માં જણાવેલ મજકૂર નિકાહમાં સાથ–સહકાર આપનાર લોકો તથા સગાઓ કે દોસ્તો વિગેરે સાથ–સહકારની ઓરતો નિકાહમાં રહેશે કે કેમ ? આ રીતે નાજાઈઝ કામમાં સાથ સહકાર આપનારાઓ માટે શું શું વઈદો છે ?

જવાબ(૪૬પ–૭પ):–એવા હરામ કાર્યમાં કોઈ પણ પ્રકારનો સહકાર આપવો મના છે,સર્વે ગુનેહગાર થશે કુર્આન શરીફમાં વર્ણન છે, ‘‘વલા તઆવનૂ અલલ ઈષ્મિ વલ ઉદવાન અર્થાત ગુનાહ અને હદ વટાવવામાં એક બીજાની સહાય કરો નહિં;

                પરંતુ એમાં સહકાર આપવાથી તેમની ઓરતો નિકાહમાંથી નીકળશે નહિં, ગામમાં અગ્રેસરોની ફર્ઝ છે કે એવા હરામ કાર્યને અટકાવે, ન માને તો તેનો બાયકોટ કરે,નહિં તો ખુદાપાકનો ક્રોપ ગામવાસીઓ ઉપર ઉતરવાનો ભય છે; ખુદાપાકની પનાહ. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

(સૂરએ માઈદહઃર)

Log in or Register to save this content for later.