કાગળ દ્વારા નિકાહ કરવા.

Chapter : નિકાહ સહીહ થશે.

(Page : 289)

સવાલ(૪૩૬–૪૬):–એહલે સુન્‍નત વલ જમાઅતના મેમ્બરોનું એક લખાણ, છોકરીની નિકાહની સહી સાથે છોકરા પાસે મોકલવામાં આવ્યું,એજ લખાણ ઉપર છોકરાએ બીજી જગ્યાએ નિકાહ કર્યા,અને તેની નકલ અમારા ઉપર રવાના કરી,આવનાર જનાર બન્‍નેવ કાગળો પર જે છોકરી તરફથી રવાના થયા હતા તેના ઉપર છોકરીની સહી અને બે ગવાહોની સહી હતી,અને જે કાગળ છોકરાનો આવ્યો તે પર છોકરીની સહી અને બે ગવાહોની સહી હતી, નિકાહ થયાને ત્રણ વર્ષ થયા,પંરતુ બન્‍નેવનો મિલાપ થયો નથી,છોકરો આફ્રિકામાં છે અને છોકરી વાપીમા છે,છોકરાના માં–બાપ ન છોકરીને લઈ જાય છે અને ન તલાક અપાવે છે કે બીજી જગ્યાએ નિકાહ કરાવી આપીએ ! કારણ કે છોકરીનો બાપ ગરીબ છે અને છોકરીનો ખર્ચ ઉઠાવી શકતો નથી, અને છોકરાના માં–બાપ કાંઈ પણ ખર્ચ છોકરીને આપતાં નથી અને કહે છે કે લઈ પણ જઈશું નહિં અને ખર્ચ પણ આપીશું નહિં,અને તલાક પણ નહિં અપાવીશું તો એ વિષે શરીઅત શું કહે છે ?

જવાબ(૪૩૬–૪૬):–જયારે છોકરીના કાગળના કારણે પોતાના નિકાહનો કોઈને આફ્રિકામાં વકીલ બનાવ્યો અને તે વકીલે તેણીના નિકાહ કરી દીધા તો નિકાહ સહીહ થઈ ગયા, ધણીને જોઈએ કે પોતાની ઓરતને લઈ જાય અને બધા ખર્ચની જીમ્મેદારી લઈ લે, અને જો ધણી ન લઈ જાય અને ન ખર્ચ આપે તો તેને જોઈએ કે તલાક આપી દે,જો ધણી,એ માટે તૈયાર ન હોય તો કોશીષ કરી ખુલઅ્‌ કરી લેવામાં આવે,એટલે ઓરત પોતાની મહેર માફ કરી દે અને તેના બદલામાં તલાક લઈ લે,જો ધણી એ ઉપર રાજી ન હોય તો ધણી નાફરમાન છે, એનાથી છુટવાની આ રીત છે કે ઓરત ત્રણ દીનદાર નેક સમઝદાર આદમીઓની પંચાયત નકકી કરે,એ ત્રણમાં એક સમઝદાર આલિમેદીન પણ હોવું જરૂરી છે,એ ત્રણેવ સામે પોતાનો કેસ રજૂ કરે,શરઈ પંચાયત ઓરતની શિકાયતો સહીહ સાબિત થવા પર ધણીને નોટીસ આપે કે તુ ઓરતને બોલવી લે,નહિં તો તલાક આપી દે,અને એના માટે એક યોગ્ય મુદ્દત નકકી કરે,એ મુદ્દત ગુજરી જવાથી પણ ન તો ધણી પોતાની ઓરતને લઈ જાય છે અને ન તલાક આપે છે તો ઓરતના બીજી વાર કહેવા પર પંચાયત નિકાહ તોડી આપશે,અને કારણ કે પતિ–પત્નિનો હજુ સુધી મિલાપ થયો નથી એટલા માટે નિકાહ તુટતાં જ ઓરત બીજી જગ્યાએ નિકાહ કરી શકે છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.            (શામીઃ ૪/૭૩)

Log in or Register to save this content for later.