Chapter : ઓરત અને હજનો સફર
(Page : 263)
સવાલ(૩૭૮–૮):– એક માણસ હજ્જ કરવા જવાનો ઈરાદો રાખે છે, તો તેમના ગુઝરી ગયેલા કાકાની ઓરતને સાથે લઈ જવા ચાહે છે, તો હજ્જ કરવા માટે શરીઅતનો શું હુકમ છે ?
જવાબ(૩૭૮–૮):– શરીઅતના હુકમ અનુસાર તેણી સાથે કોઈ મહરમ (એટલે એવો નજીકનો સગો હોવા જોઈએ કે જેના સાથે નિકાહ કદી ન થઈ શકતા હોય) સાથે હોવો જોઈએ,સદરહુ માણસ વિધવાનો મહરમ નથી,એટલે તેમની સાથે જવું જાઈઝ નથી, ભલે ને સાથના લોકો ઘણાં સારા નેક મહોબ્બતવાળા હોય ! પરંતુ શરીઅત રજા આપતી નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ ૩/૪૬૪ થી ૪૬પ. હિદાયાઃ ૧/ર૩૩)
Log in or Register to save this content for later.