ઓરતોના એ’તિકાફના મસાઇલ

Chapter : મસાઈલે એ'તિકાફ

(Page : 76)

મસ્અલહ : ઓરત જયારે રમઝાનુલ મુબારકના અંતિમ દસ દિવસોનો મસ્નૂન એતિકાફ કરવાનું ઇચ્છે તો રમઝાનુલ મુબારકની વીસમી તારીખના સૂર્યાસ્ત પહેલાં એતિકાફની નિય્યતે તે જગા પર આવી જાય, જ્યાં તે હંમેશા નમાઝ પઢયા કરે છે અને જયારે ઇદનો ચાંદ સાબિત થઇ જાય તો તે જગાથી બહાર આવી જાય. બાકી એતિકાફની હાલતમાં દિન–રાત તે જ નકકી કરેલી એતિકાફની જગામાં રહે, ત્યાં જ ખાઇ–પીએ અને સૂએ. કેવળ વુઝૂ કરવા અને પેશાબ–પાખાના માટે (યા સ્વપ્નદો થઇ જાયતો ગુસલ કરવા માટે) બહાર આવી શકે છે. (આલમગીરી : ૧/ર૧૧)

મસ્અલહ : ઘરમાં કોઇ જગા અગાઉથી નકકી છે. દા.ત. ત્યાં નમાઝ માટે પડાવ, વાસણો, કાગળ યા ચટાઇ વગેરે નાખી છે અથવા આ વસ્તુઓ હરેક સમયે બિછાવેલી રહેતી નથી તો પણ વાંધો નથી. અલબત્ત, અનેકવાર તે જ જગ્યાએ મુસલ્લો બિછાવી નમાઝ પઢવાની આદત છે તો આ નમાઝ પઢવાની જગ્યા ઓરત માટે મસ્જિદના દરજામાં છે.    (આલમગીરી : ૧/ર૧૧)

અને જો અગાઉથી કોઇ જગ્યા નમાઝ માટે નકકી નથી, બલકે કદી કોઇ જગ્યાએ અને કયારેક કોઇ જગ્યાએ નમાઝ પઢે છે તો એતિકાફમાં બેસતાં પહેલાં કોઇ જગ્યા આગામી નમાઝ પઢવા માટે નકકી કરવી જરૂરી છે. નમાઝ માટે જગા નકકી કર્યા પછી ત્યાં એતિકાફની નિય્યતે બેસે. હવે આ જગ્યા તેના માટે એવી છે, જેમ કે મરદ માટે મસ્જિદ હોય છે. જેવી રીતે મરદ મસ્જિદની બહાર જતો રહે તો એતિકાફ તૂટી જાય છે, એવી જ રીતે ઓરતના એતિકાફની ખાસ જગ્યાએથી કારણ વગર ચાલ્યા જવાથી એતિકાફ તૂટી જશે.(આલમગીરી : ૧/ર૧૧)

મસ્અલહ : જયારે ઓરત પોતાની એતિકાફગાહમાં એતિકાફની નિય્યતે દાખલ થઇ જાય તો તે જગા છોડી બીજી કોઇ જગ્યાએ સ્થળાંતર કરવું જાઇઝ નથી. જો એવું કરશે તો એતિકાફ બાકી નહિ રહે. ચાહે બીજી કોઇ જગાનો જે ફેરફાર કર્યો છે તે જ રૂમમાં હોય જ્યાં એતિકાફગાહ છે, ચાહે તે રૂમના સિવાય બીજા રૂમમાં હોય. (આલમગીરી : ૧/ર૧૧)

મસ્અલહ : જો એતિકાફમાં બેસતાં પહેલાં કોઇ જગા નમાઝ માટે નકકી નથી અને એતિકાફમાં બેસતાં પહેલાં પણ નકકી કરી નથી, બલકે જ્યાં દિલ ઇચ્છે એતિકાફ માટે બેસી જાય તો એતિકાફ સહીહ નહિ થાય.(શામી : ૩/૩૮ર)

મસ્અલહ : ઓરતે નમાઝ પઢવા માટે જગા તો ખાસ કરી છે, પરંતુ એતિકાફ તે જગાએ ન કર્યો, બલકે સહૂલત વગેરેની ગરજે બીજી કોઇ જગાએ બેસી ગઇ તો આ એતિકાફ પણ દુરુસ્ત નહિ થાય. આ એવું જ છે કે મરદ પોતાની સહૂલત ખાતર મસ્જિદ છોડી મસ્જિદ સિવાય બીજી કોઇ જગાએ એતિકાફ કરે, તો જેવી રીતે મરદનો એતિકાફ દુરુસ્ત નથી, એવી જ રીતે ઓરતનો એતિકાફ પણ દુરુસ્ત નહિ લેખાય.  (મસાઇલે એતિકાફ : ર૩ કૃત રફઅત)

મસ્અલહ : હા, ઓરતને પોતાની નમાઝની જગાનો ફેરફાર કરવાનો અધિકાર છે. એક જગા છોડી બીજી    જગા નકકી કરી શકે છે. જેમ કે, શરદીમાં એક જગા હોય છે અને ગરમીમાં બીજી જગા હોય છે. એટલા માટે         જો એતિકાફમાં બેસતાં પહેલાં જ્યાં એતિકાફ કરવા ઇચ્છે, આ નિય્યત કરી લે : હું આગામી નમાઝ આ જગાએ પઢયા કરીશ, તો આવી નિય્યત કરી લીધા બાદ ત્યાં એતિકાફમાં બેસવું દુરુસ્ત થઇ જશે.(આલમગીરી : ૧/ર૧૧)

મસ્અલહ : એતિકાફના પ્રકરણમાં જે જગાએ પણ ”બયત” શબ્દ આવ્યો છે. ફુકહાએ કિરામ (ધર્મશાસ્ત્રીઓ) તેનું સ્પષ્ટીકરણ ”મસ્જિદુલ બયત”થી કરે છે (જેનો અર્થ ઘરની મસ્જિદ છે). આ મસ્જિદુલ બયતથી જણાયું કે એતિકાફ માટે તમામ ઘર યા મોટો રૂમ પૂરો નકકી કરી લેવો દુરુસ્ત નથી, બલકે ઘરમાં જ્યાં ઓરતે નમાઝ પઢવા માટે નકકી કરી છે તે જ એતિકાફની જગ્યા છે. અલબત્ત, કોઇ ઓરડી નમાઝ માટે ખાસ કરી છે તો તે એતિકાફગાહ હોઇ શકે છે. જયારે નમાઝ પઢવાની જગ્યામાં ઓરત એતિકાફ માટે બેસવા લાગે તો મુસલ્લાની જગાના બરાબર એટલી જગાનો ઘેરાવો કરી લે કે આરામ સાથે ઊઠી–બેસી અને સૂઇ શકે. ચાહે કોઇ ચટાઇ યા કોઇ પાથરણું બિછાવે યા નિશાન નકકી કરી લે. હદ કાયમ કર્યા પછી ત્યાંથી બહાર ન જાય. જો તે મસ્જિદુલ બયતની હદથી ભરોસાપાત્ર કારણ વગર બહાર જતી રહી તો વાજિબ અને મસ્નૂન એતિકાફ તૂટી જશે અને નફલી એતિકાફ થઇ જશે. (બહરુર્રાઇક : ર/પર૭)

મસ્અલહ : ઓરતનું મહોલ્લાની મસ્જિદ અથવા જામિઅ મસ્જિદમાં એતિકાફ કરવું મકરૂહે તહરીમી છે. (દુર્રે મુખ્તાર : ૩/૩૮૧)

મસ્અલહ : ફુકહાએ કિરામ (ધર્મશાસ્ત્રીઓ)એ ઓરતોને મસ્જિદમાં નમાઝ પઢવાથી રોકી દીધી છે. એટલા માટે એતિકાફ કરવાથી બદર્જહા (અત્યધિક, અનેકગણે) રોકવી જોઇએ. ઓરતો પોતાના ઘરોમાં એતિકાફ કરે.       (હાશિય–એ–મરાકિયુલ ફલાહ : ૩/૮ર)

મસ્અલહ : ઓરતે પોતાના શોહરથી ઇજાઝત લઇ એતિકાફ કરવો જોઇએ. આવી રીતે ગુલામ (નોકર)એ પણ આકા (માલિક)થી ઇજાઝત લેવી જોઇએ.(આલમગીરી : ૧/ર૧૧)

મસ્અલહ : મરદને પોતાની બીવીથી ઇસ્તિમ્તાઅ (હરેક પ્રકારનો જાઇઝ નફો ઉઠાવવા)નો હક હાસિલ છે. એટલા માટે શોહર પોતાની બીવીને મનાઇ પણ કરી શકે છે. એવી જ રીતે માલિક પોતાના નોકરને પણ રોકી શકે છે. (બદાઇઅ : ર/ર૭૪)

મસ્અલહ : જો ઓરત એતિકાફ કરવાની મન્નત પણ માને તો શોહરથી ઇજાઝત લેવી જરૂરી છે. જો વગર ઇજાઝતે મન્નત માનશે તો આ મન્નત અને નઝર તો સહીહ થઇ જશે, પરંતુ શોહરથી ઇજાઝત લઇ નઝર પૂરી કરવી જોઇએ. જો શોહર ઇજાઝત ન આપે તો તલાક યા મોતથી જુદાઇ થયા બાદ નઝર પૂરી કરે, નહિ તો વસિય્યત કરી ય.                           (બદાઇઅ : ર/ર૭૪)

મસ્અલહ : શોહરે જયારે એતિકાફ કરવાની ઇજાઝત આપી તો એતિકાફ કરવાથી રોકવાનો હક પતિને નથી, કેમ કે ઇજાઝત દેવાનો મતલબ આ છે કે તેણે તેટલા દિવસના હરેક પ્રકારનો જાઇઝ નફો ઉઠાવવાનો હક બીવીને આપી દીધો. હવે તેને પરત લેવાનો શોહર હકદાર રહેતો નથી. બીવી વગર ઇઝતે પણ આ એતિકાફ કરી શકે છે.                                        (બદાઇઅ : ર/ર૭૪)

મસ્અલહ : બીવીએ શોહરથી ઇજાઝત લઇ એક માસના એતિકાફની મન્નત માની લીધી. જો આ એતિકાફ નિશ્ચિત મન્નતનો નથી અર્થાત ખાસ દિવસો ની કર્યા નથી તો શોહરને આ ઇજાઝત છે કે બીવીને અલગ અલગ કરી અમુક અમુક દિવસોનો એતિકાફ કરાવી એક મહિનો પૂરો કરવાનો હુકમ દે, પરંતુ જો નિશ્ચિત મન્નત છે અર્થાત કોઇ મહિનો મન્નતમાં ની કર્યો છે તો બીવીએ લગાતાર એક મહિનાનો એતિકાફ કરવો જરૂરી છે. શોહર મનાઇ કરી શકતો નથી.

(આલમગીરી : ૧/ર૧૧)

મસ્અલહ : શોહરની ઇજાઝત લઇ બીવીએ એતિકાફ કર્યો છે તો શોહરને હાલતે એતિકાફમાં સંભોગ કરવો યા ચુંબન કરવું અને આ ઇરાદાથી તેના એતિકાફમાં વેશવું જાઇઝ નથી.                             (શામી : ૩/૩૮૬)

મસ્અલહ : શોહર રોકવા છતાં હાલતે એતિકાફમાં હમબિસ્તરી (સહવાસ) કરી લે તો બીવીનો એતિકાફ તૂટી જશે અને શોહર ગુનેહગાર થશે. (શામી : ૩/૩૯૩)

મસ્અલહ : ઓરતે પોતાના ઘર સિવાય બીજા ઘરમાં એતિકાફ કર્યો હતો, તે દરમિયાન શોહરે તેને તલાક આપી દીધી તો તે પોતાની ઇત પૂરી કરવા માટે પોતાના ઘરે આવી શકે છે. તેનો એતિકાફ તૂટશે નહિ, બાકીનો એતિકાફ પોતાના ઘરમાં પૂરો કરે. (આલમગીરી : ૧/ર૧ર)

મસ્અલહ : ઓરતે હૈઝ અને નિફાસની હાલતમાં એતિકાફ માટે બેસવું દુરુસ્ત નથી. આવી જ રીતે જો દરમિયાની એતિકાફમાં હૈઝ યા નિફાસ આવી જાયતો  એતિકાફમાંથી ઊઠી જવું જોઇએ. (બદાઇઅ : ર/ર૭૪, ર૮૭)

મસ્અલહ : પછી આ જુએ કે જે એતિકાફના દરમિયાન હૈઝ આવ્યું છે, જો તે વાજિબ હતો તો તહારત કરવું (પાકી)નું ગુસલ કરી તરત એતિકાફમાં બેસી જવું જોઇએ. જેટલા દિવસનો એતિકાફ હૈઝ આવવાથી છૂટી ગયો છે તે દિવસો સહિત બીજા બાકી દિવસો રહી ગયા છે તે પૂરા કરે. નવેસરથી બી વાર એતિકાફ કરવાની જરૂર નથી, પરંતુ જો તહારતના ગુસલ પછી તરત જ એતિકાફમાં ન બેસી તો વિલંબના કારણે નવેસરથી બીવાર એતિકાફ કરવો પડશે. આ વાત પણ ખ્યાલમાં રહે કે આ મસ્અલહ નિશ્ચિત મન્નતનો છે, અનિશ્ચિત મન્નતનો મસ્અલહ તે છે જે આ મસ્અલહ બાદ છે. (બદાઇઅ : ર/ર૮૮)

મસ્અલહ : જો ઉપર્યુકત સૂરત અનિશ્ચિત મન્નતમાં પેશ આવે તો હરેક હાલતમાં નવેસરથી એતિકાફ કરવો જરૂરી છે અને આ બન્ને મસ્અલહ વાજિબ એતિકાફ  માટે છે. (બદાઇઅ : ર/ર૮૮)

મસ્અલહ : જો મસ્નૂન એતિકાફ (અશર–એ– અખીરહ રમઝાનુલ મુબારક)ના દરમિયાન હૈઝ આવી જાયતો એતિકાફ થઇ જશે, જેટલો એતિકાફ કર્યો તે થઇ ગયો. બાકી એતિકાફ કરવો વાજિબ નથી. પાક થયા પછી ખાસ તે જ એક દિવસની કઝા જરૂરી છે, જે દિવસે હૈઝ શરૂ થયું હતું. (બદાઇઅ : ર/ર૭૪, આલમગીરી : ૧/ર૧૩)

મસ્અલહ : જો હૈઝના દિવસો ગુજર્યા પછી હજુ માહે રમઝાનુલ મુબારક ખતમ થયો નથી તો રમઝાનુલ મુબારકમાં જ એક દિવસનો એતિકાફ કરી કઝા કરી લે, નહિ તો રમઝાનુલ મુબારક બાદ જયારે તે છૂટેલા રોઝાઓની કઝા કરે તેમાં એક દિવસ સાથે તે એતિકાફની પણ કઝા કરી લે, નહિ તો એક નફલ રોઝહ રાખી કઝા કરવી પડશે.    (બદાઇઅ : ર/ર૭૪, ર૭પ)

મસ્અલહ : જો નફલી એતિકાફમાં વચમાં હૈઝ આવી જાય તો તે ખતમ થઇ જશે. જે દિવસે આવું થાય તે દિવસની કઝા પણ વાજિબ નથી. એતિકાફના ફાસિદ થવા અથવા ન થવાના મસાઇલ તે જ છે જે મુફસિદાતે એતિકાફમાં ગુજર્યા. જે વાતોથી મરદનો એતિકાફ તૂટી જાય છે, ઓરતોનો પણ તૂટી જાય છે.

મસ્અલહ : હદીસ શરીફમાં આવે છે કે, હુઝૂર નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ એક વખત તુર્કી ઘુમ્મટમાં એતિકાફ ફરમાવ્યો અને એતિકાફમાંથી પોતાની તરફ લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યુ અને અમુક વાતો ઇરશાદ ફરમાવી.(મુસ્લિમ શરીફ : ૧/૩૭૦, હદીસ માંક : ર૭૭૧, જમ્ઉલ ફવાઇદ : ર/પ૯૦)

ઉપરોકત હદીસ શરીફથી મસ્અલહ જણાયો કે ઓરત પોતાના એતિકાફગાહમાંથી ઘરેલું જરૂરિયાતની વાતો ઘરવાળાઓને કરી શકે છે. કોઇ કામ કરાવવું હોય યા ખાવા–પીવાની વસ્તુ મંગાવવી હોય, શિખામણ આપવી હોય તો ત્યાં જ બેઠાં–બેઠાં આવી જરૂરી વાતો કરી શકે છે.

મસ્અલહ : ઓરત પોતાના ઘરમાં જે (મસ્જિદુલ બયત) નમાઝ પઢવા માટેની જગા નકકી કરે છે તેના પર મસ્જિદના સઘળા હુકમો લાગુ પડતા નથી, બલકે એતિકાફ ફાસિદ થવા યા ફાસિદ ન થવાનો હુકમ તે જગાથી જ સંબંધિત છે. એતિકાફ અને નમાઝના સમયો સિવાય ત્યાં હૈઝની હાલતમાં આવ–જા કરી શકે છે. એટલે ત્યાં કામ–ધંધો પણ કરી શકે છે. તે નમાઝ પઢવાની જગા છે એટલે તેને નાપાક ન થવા દે અને જો નાપાક થઇ જાયતો તેને પાક કરે.

તદુપરાંત, તે નિશ્ચિત જગામાં ઓરતને નમાઝ પઢવાનો તેટલો જ સવાબ મળે છે જેટલો મરદને મસ્જિદમાં બા–જમાઅત નમાઝ પઢવાનો સવાબ મળે છે, બલકે હદીસ શરીફમાં તો અફઝલ યા બેહતરનો શબ્દ આવ્યો છે. તે હદીસ શરીફ આ છે :

હઝરત અબૂ હમીદ સાઇદી (રદિયલ્લાહુ અન્હુ)નાં અહલિયા મુહતરમા (પત્ની) હઝરત ઉમ્મે સઇદ  (રદિયલ્લાહુ અન્હા) રિવાયત કરે છે કે, તેઓ સરકારે દો આલમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ખિદમતે અકદસમાં હાજર થયાં અને અરજ કરી : હે અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ! હું આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) પાછળ (મસ્જિદે નબવી)માં નમાઝ પઢવાનું મહબૂબ રાખું છું. (શું પઢયા કરું ?) આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું : હા, હું પણ જાણું છું કે તમારી દિલી તમન્ના આ જ છે, પરંતુ હું આ કહું છું કે તમારા નાના સરખા મકાનમાં નમાઝ પઢવી મહોલ્લાની મસ્જિદમાં નમાઝ પઢવાથી અફઝલ છે. હદીસ શરીફના રાવી કહે છે : આ ઇરશાદ સાંભળી હઝરત ઉમ્મે સઇદ  (રદિયલ્લાહુ અન્હા) માટે તેમના ઘરમાં સૌથી અંદરના ભાગમાં નમાઝ પઢવાની જગા બનાવી દીધી અને તમામ ઉંમર તે જ જગામાં નમાઝ પઢતાં રહયાં, ત્યાં સુધી કે અલ્લાહ તઆલાથી જઇ મળ્યાં. મુહિસ ઇબ્ને ખુઝયમહ (રહ.)એ આ હદીસ શરીફ પર પ્રકરણ લખ્યું છે કે, ઓરત માટે ઘરનો અંદરૂની (આંતરિક) હિસ્સા (ભાગ)માં નમાઝ પઢવી વરંડામાં નમાઝ પઢવાથી બેહતર છે અને વરંડામાં નમાઝ પઢવી મહોલ્લાની મસ્જિદમાં અને મસ્જિદે મહોલ્લામાં નમાઝ પઢવી મસ્જિદે નબવીથી બેહતર છે. (અત્તરગીબ વત્તરહીબ : ૧/૧૩પ, હદીસ ક્રમાંક : ૩૩૮)

ફાયદો : સહેજ ચિંતન કરો ! મસ્જિદે નબવીમાં મરદને પચાસ હજાર નમાઝોનો સવાબ મળે છે, પછી જમાઅતનો કેટલો અને સરવરે કાઇનાત (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની પાછળ નમાઝ પઢવાની કેટલી ફઝીલત…. પરંતુ ઓરતે આપની પાછળ પઢવાને બદલે પોતાના ઘરમાં નમાઝ પઢવી બેહતર છે. બેહતરીનો મતલબ આ જ થયો કે તેને પણ તેટલો જ સવાબ અતા થશે.

બીજી એક રિવાયત હઝરત બીબી ઉમ્મે સલમા (રદિયલ્લાહુ અન્હા)થી છે, હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું : ઓરતો માટે બેહતરીન મસ્જિદ તેમના ઘરોનો અંદરૂની ભાગ છે.(અત્તરગીબ વત્તરહીબ : ૧/૧૩પ, હદીસ ક્રમાંક : ૩૩૯)

Log in or Register to save this content for later.