એ’તિકાફ શું છે ?

Chapter : મસાઈલે એ'તિકાફ

(Page : 15)

દુન્યવી કારોબાર, સામાજિક મૂંઝવણો અને જાતી વ્યસ્તતામાં એકાગ્ર થઇને માનવ પોતાના પેદા થવાના હેતુથી ગાફિલ થઇ જાય છે. શયતાની અસરો તેના દિલો–દિમાગ પર એવી રીતે છવાઇ જાય છે કે, એને કાંઇ પણ વિચારવાની અને ચિંતન–મનન કરવાની સુદ્ધાં નવરાશ મળતી નથી. દિન–પ્રતિદિન આ ગફલત એટલી વધી રહી છે કે, નમાઝ માટે મસ્જિદમાં થોડીક વાર માટે જવાથી અને રોઝહ, ઝકાત વગેરે ઇબાદતો અંજામ આપવાથી પણ તે ખતમ નથી પામતી. નમાઝ દુનિયાના વિચારોમાં ગુજરે છે અને રોઝહ વ્યર્થ અને નકામી વાતોના નઝર થઇ જાય છે.

આ પરિસ્થિતિ ઉમ્મતના જીવિત દિલો માટે કષ્ટદાયક અને તૌહીદના આશિકો માટે દુઃખ, દર્દનો સામાન બની જાય છે. માલિકુલ મુલ્કના શાહાના જાહો–જલાલ જ્યાં તેના દરબારની હાજરીથી રોકે છે, ત્યાં અરહમુર્રાહિમીનની અસીમ અને અપાર રહમત ફિકરમંદો માટે ઉમ્મીદ અને દિલાસો આપી જાય છે અને ઢચુપચુના આલમમાં ગફલતની વાદીઓમાં ચર લગાવનાર માનવી પોતાના હકીકી આકાના દરબારમાં જબાને હાલથી આ કહી થોભી જાય છે :

ફિર  મેં હૈ કે દર પે ઉસીકે પળા રહૂં,

સર ઝેરે બારે મિન્નત દરબાં કિએ હૂએ.

આ જ ભાવના અને પૂર્ણાકર્ણ, આ જ ઇશ્ક, આ જ ઉમ્મીદ અને આ જ આજિજીનું નામ ”એતિકાફ” છે. (કિતાબુલ મસાઇલ : ર/૧૦૩)

Log in or Register to save this content for later.