એ’તિકાફમાં હાજતે તબઇય્યહના મસાઇલ

Chapter : મસાઈલે એ'તિકાફ

(Page : 58 to 60)

હાજતે તબઇય્યહની વ્યાખ્યા : એવાં કામો જેને કરવામાં ઇન્સાન મજબૂર છે અને તે મસ્જિદમાં થઇ શકતાં નથી, તેને હાજતે તબઇય્યહ કહેવાય છે. દા. ત. પેશાબ–પાખાના, ઇસ્તિન્, નાપાકીનું ગુસલ વગેરે. (શામી : ૩/૩૮૭)

આવા સમયે જો બયતુલ ખલા અને ગુસલખાના ખાલી ન હોય તો પ્રતિક્ષા કરવી પણ ઈઝ છે.   –અનુવાદક

(મસાઇલે એતિકાફ : ૩૭)

મસ્અલહ : તબઇ હાજત માટે યારે મુઅતકિફ મસ્જિદની બહાર ય તો યથાશિત એવી જગાએ હાજત દૂર કરવા જાયજે નક હોય, જેમ કે, મુઅતકિફનું ઘર દૂર છે અને કોઇ બેતકલ્લુફ (નિઃસંકોચ) દોસ્તનું ઘર નક હોય અથવા ખુદ મુઅતકિફના બે ઘર છે, એક નક અને બીજું દૂર અથવા મસ્જિદનું સરકારી બયતુલ ખલા છે અથવા મસ્જિદની બાજુમાં મસ્જિદનું બયતુલ ખલા બનેલું છે, તો તેમાંથી જે પણ બયતુલ ખલા નક હોય તેમાં જ હાજત પૂરી કરવા ય. અલબત્ત, જો નકવાળી જગાથી તબિઅતની રુચિ ન હોય, જેના કારણે હાજત પૂરી થતી ન હોય, ચાહે તે તબિઅતના તકાદાના કારણે હોય યા તેનું કારણ એ હોય કે બીજા આદમીને તકલીફ થાય છે, જેમ કે, પડદો કરાવવો પડે છે અથવા બી કોઇ દુશ્વારી છે તો દૂર જગાએ જ્યાંઆ દુશ્વારી ન હોય ત્યાં જતાં રહેવું જાઇઝ છે.       (શામી : ૩/૩૮૭)

મસ્અલહ : મુઅતકિફે હાજતે તબઇય્યહથી ફારિગ થઇ પોતાની મસ્જિદમાં આવી જવું, કારણ વગર ઘરમાં રહેવું જાઇઝ નથી.                         (શામી : ૩/૩૮૯)

મસ્અલહ : મુઅતકિફની હવા નીકળવા લાગે, જો શકય હોય તો તેને મસ્જિદની બહાર જઇ કાઢે. જો અનાયાસે મસ્જિદમાં જ નીકળી જાયતો પણ વાંધો નથી, મજબૂર છે.                      (ઇમ્દાદુલ ફતાવા : ર/૧પર)

પરંતુ જો હવા બદબૂદાર (દુગધયુત) હોય તો તેને કાઢવા માટે મસ્જિદની બહાર જવું જોઇએ.  –અનુવાદક

(કિતાબુલ મસાઇલ : ર/૧૧૧)

મસ્અલહ : મુઅતકિફ યારે હાજતે શરઇય્યહ      અને હાજતે તબઇય્યહ માટે જાયતો પોતાની આદતના માણે ચાલ ચાલે, જલદી ચાલવું જરૂરી નથી. અલબત્ત, જરાક હલકી અને ધીમી ચાલ ચાલવી એટલા માટે બેહતર છે કે, ચાલતાં સલામ કરવા અને જવાબ આપવામાં આસાની રહેશે. અમુક વખતે કોઇ શખ્સને માલૂમ ન હોય અને એને રોકવા માંગે અથવા ચાલતાં–ચાલતાં કોઇ વાતનો જવાબ આપવા માંગે તો આસાનીથી થોભ્યા વિના વાતો થઇ શકે છે અને ચાલતાં આ બધાં કામ કરી શકે છે. ઝડપી ચાલથી થોભવામાં અથવા કોઇના રોકી   લેવાનો ખતરો છે અને એક મિનિટ પણ થોભી જાયતો    એતિકાફ ફાસિદ થઇ જાય છે. એટલા માટે હલકી–       ધીમી ચાલ બેહતર છે, નહિ તો હરેક ચાલ ચાલવી         જાઇઝ છે.                                         (બદાઇઅ : ર/ર૮૪)

મસ્અલહ : વુઝૂ કરવાની એક જગા નક છે અને બી જરાક દૂર છે તો નકવાળી જગ્યા બેહતર છે, જો દુશ્વારી હોય તો દૂર પણ જઇ શકે છે. એવી રીતે પેશાબખાના, ઇસ્તિન્ખાના અને ગુસલખાનાનો હુકમ છે કે જ્યાંસુધી નકની જગા પર જરૂરત પૂરી થતી હોય તો વિના જરૂરતે દૂર ન ય.            (શામી : ૩/૩૮૮)

એ’તિકાફમાં ઓચિંતી હાજતો   પેશ આવે તો…….

હાજતે જરૂરિય્યહની વ્યાખ્યા : મુઅતકિફને અચાનક કોઇ એવી સખત જરૂરત પેશ આવે કે, જેના કારણે તેને એતિકાફગાહ છોડવી પડે, તો આવી વાતોને હાજતે જરૂરિય્યહ કહેવાય છે.    (મરાકિયુલ ફલાહ : રપ૮)

દા. ત. મસ્જિદ ધ્વસ્ત થવા લાગે અને મુઅતકિફને દબાઇ જવાનો ખતરો હોય યા ઝાલિમ હાકિમ પકડવા આવી જાયયા એવી ગવાહી દેવી જરૂરી થઇ ગઇ, જે શરઅન મુઅતકિફના જિમ્મે વાજિબ છે કે દાવેદારનો હક તેની ગવાહી પર મોકૂફ છે અને બીજો કોઇ ગવાહ નથી. જો મુઅતકિફ ગવાહી ન દે તો દાવેદારનો હક માર્યો જશે યા કોઇ આદમી અથવા બાળક પાણીમાં ડૂબી રહયો છે યા આગમાં પડી રહયો છે યા ખતરો છે યા સખત બીમાર થઇ ગયો છે યા ઘરવાળાઓમાંથી કોઇનાં ન– માલ–આબરૂનો ખતરો છે યા જનાઝહ આવી ગયો અને નમાઝે જનાઝહ કોઇ પઢાવતું નથી યા જિહાદનો આમ હુકમ આવી ગયો અને જિહાદમાં શામિલ થવું ફર્ઝે ઐન થયું યા કોઇએ જબરદસ્તી હાથ પકડી બહાર ઊભો કરી દીધો યા જમાઅતના નમાઝી જતા રહયા અને હવે મસ્જિદમાં જમાઅતની વ્યવસ્થા ન રહી, આ પ્રકારની બધી વાતો જરૂરી હાજતો કહેવાય છે. વધુ પડતી સૂરતોમાં એતિકાફ છોડવો ફર્ઝ અને વાજિબ થઇ જાય છે અને એતિકાફ છોડવાનો ગુનાહ થતો નથી. (ફત્હુલ કદીર : ર/૧૧૧, મુસ્તફાદ ઇલ્મુલ ફિકહ : ર/૪૬પ)

આ એતિકાફને છોડવાથી ફાસિદ થઇ જવો તો તેનો હુકમ એતિકાફના મુફસિદાતમાં ગુજરી ગયો, ત્યાં  જુઓ.

Log in or Register to save this content for later.