એ’તિકાફમાં રોઝો તુટી જાયતો ?

Chapter : એ'તિકાફના મસાઈલ

(Page : 255)

સવાલ(૩૬૦–૬):–  રોઝો યાદ હતો,પરંતુ સવારે વુઝૂ કરતી વખતે વગર ઈરાદે પાણી હલક–ગળામાં ચાલ્યું ગયું,અને રોઝો તૂટી ગયો,તો હવે વગર રોઝાની હાલતમાં એ’તિકાફમાં બેસી રહેવું કે શું કરવું ?

જવાબ(૩૬૦–૬):– એ’તિકાફ તોડે નહિં,બલ્કે પુરો કરે,ખતાથી (ચુકથી) રોઝો તુટયો છે,બાદમાં તેની (રોઝાની) કઝા કરી લે,ત્યારે એ’તિકાફ પણ કરે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.                    (આલમગીરીઃ૧/ર૧ર )

Log in or Register to save this content for later.