એ’તિકાફમાં બેસવાનો સમય.

Chapter : એ'તિકાફના મસાઈલ

(Page : 256)

સવાલ(૩૬૩–૯):– ગામમાં કોઈ રમઝાન શરીફમાં એ’તિકાફમાં બેસતું નથી. આવા ટાઈમ પર એક ભાઈ ર૭ મી રાતથી એ’તિકાફમાં બેસે તો એ’તિકાફ થઈ શકે કે નહિં ? અને ગામનો બોઝ આ એ’તિકાફથી ઉતરી જશે કે નહિં ?

જવાબ(૩૬૩–૯):–  રમઝાન શરીફની ર૧ તારીખથી છેવટ રમઝાન શરીફ સુધી એ’તિકાફની નિય્યતથી મસ્જિદમાં બેસવું સુન્‍નતે મોઅકકદહ અલલ કિફાયહ છે,ગામમાંથી એક પણ માણસ મજકૂર મસ્અલા મુજબ એ’તિકાફ કરશે તો સર્વ ગામવાલાના માથાથી ગુનોહ ઉતરી જશે,છેલ્લા ત્રણ દિવસ એ’તિકાફમાં બેસવાંથી ફકત ત્રણ દિવસનો સવાબ મળશે,એનાથી સુન્‍નતે મોઅકકદહ અલલ કિફાયહ એ’તિકાફ અદા થશે નહિં,અને સર્વ ગામવાસીઓનો ગુનોહ ઉતરશે નહિં. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.

(આલમગીરીઃ ૧/ર૧૧)

Log in or Register to save this content for later.