Chapter : એ'તિકાફના મસાઈલ
(Page : 256)
સવાલ(૩૬૪–૧૦):– રમઝાન માસમાં અશરએ અવ્વલ અને સાનિયહના એ’તિકાફમાં જુમ્આનું ગુસલ કરી શકે કે નહિં ? તેમજ ઠંડક માટે ગુસલ કરી શકે કે નહિં ? માથા તથા મુંછ ના બાલ લઈ શકે કે નહિં ? અગર લઈ શકે તો જમાઅતખાના ની બહાર કે અંદર ?
જવાબ(૩૬૪–૧૦):– એ’તિકાફમાં વાજિબ ગુસલ માટે નીકળી શકાય, જુમ્આ કે ઠંડક માટે ગુસલ કરવા નીકળી શકાય નહિં,માથા કે મુંછ ના વાળ મો’તકિફ મસ્જિદમાં કપાવી શકે છે,પરંતુ બરાબર સફાઈ રાખે,એના માટે નીકળી શકાય નહિં. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.
(શામીઃ૩/૪૩પ, આલમગીરીઃ ૧/ર૧૩)
Log in or Register to save this content for later.