Chapter : એ'તિકાફના મસાઈલ
(Page : 255)
સવાલ(૩૬ર–૮):– એક ભાઈનું કહેવું છે કે એ’તિકાફમાં બેઠા પછી જુમ્આનું ગુસલ ન ઉતારે તો પણ ચાલે,જયાં સુધી કે એહતિલામ થાય તો જ ન્હાવું જોઈએ ?
જવાબ(૩૬ર–૮):– સદરહુ ભાઈનું કથન ખરૂ છે,મસ્અલો એજ પ્રમાણે છે,મોઅતકિફ વાજિબ ગુસલ માટે મસ્જિદથી બહાર નીકળી શકે છે, મુસ્તહબ ગુસલ માટે નીકળી શકતો નથી,જો નીકળશે તો એ’તિકાફ ફાસિદ થશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ૩/૪૩પ )
Log in or Register to save this content for later.