Chapter : મસાઈલે એ'તિકાફ
(Page : 17)
વાસ્તવિકતા આ છે કે, રમઝાનુલ મુબારકના બરકતવંતી અને શુભ સમયોની કદર એતિકાફ વગર સંપૂર્ણ રીતે થઇ શકતી નથી. માણસ કેટલોય શોખીન હોય કોઇ કામમાં સંપૂર્ણ લીન હોવાના કારણે તબિયતમાં પ્રાકૃતિક ઉચાટ પેદા થઇ જાય છે અને ઇબાદતનું નિરંતર થોભી જાય છે, પરંતુ એતિકાફ એક એવી ઇબાદત છે કે, મુઅતકિફ જો મસ્જિદમાં ખાલી પણ બેસી રહે તો પણ ઇબાદત કરનારાઓમાં ગણતરી થાય છે અને મુઅતકિફની કોઇ ઘડી બરબાદ થતી નથી અને મસ્જિદમાં બેઠાં–બેઠાં તેને અગણિત નેક કામોનો સવાબ મળી જાય છે. એટલા માટે આકાએ મકકી વ મદની સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના નીચેના મુબારક ઇરશાદો ધ્યાનપૂર્વક વાંચી પોતાનામાં અંતિમ દસ દિવસોનો એતિકાફ કરવાનો ઉત્સાહ ઉત્પન્ન કરો.
–અનુવાદક
હદીસ : હઝરત અલી બિન હુસૈન (રહ.) પોતાના વાલિદ હઝરત ઇમામ હુસૈન (રદિ.)થી રિવાયત કરે છે, રહમત આલમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું : જે માણસે રમઝાનુલ મુબારકના આખરી અશ્રહ (અંતિમ દસ દિવસો)નો એતિકાફ કર્યો, તેને બે હજ અને બે ઉમરહ કરવાના બરાબર સવાબ મળે છે.
(અત્તરગીબ વત્તરહીબ : ર/૯૬)
જુઓ ! કેટલી સામાન્ય કુર્બાની પર અલ્લાહ તઆલા તરફથી કેટલી મહામૂલી નેઅમતોની વર્ષાનો વાયદો થઇ રહયો છે. આજે કોઇ માણસને કોઇ લીડર અને હાકિમની હવેલી પર અમુક દિવસો માટે રહેવાની પરવાનગી મળી જાયતો તેને બહુ જ ફખ્રની વસ્તુ સમજે છે અને જગા જગાએ મહાન પ્રતિષ્ઠા જાણી અભિમાની બની ફરે છે, તો જો દુનિયાના હાકિમોની દરબારની હાજરી અને ત્યાંનું રહેઠાણ ઇઝઝતનું કારણ છે તો શું માલિકુલ મુલ્ક શહેનશાહે આલમના દ્વાર પર જઇ પડી રહેવું પ્રતિષ્ઠા લાયક અને ફખ્રલાયક નથી ? પછી આ જુઓ કે, તે અમુક દિવસોના માહોલમાં રહી આપણી તબિયતમાં કેટલી ચુસ્તી, પ્રફુલ્લતા અને આધ્યાત્મિક પ્રસન્નતા ખીલી ઊઠે છે અને કેવી ઇમાનની રોશનીનો એહસાસ થાય છે.
વાસ્તવિકતા આ છે કે,એતિકાફથી મુબારક મહિનાની મજા બમણી થઇ જાય છે અને તેના વડે શબે કદ્રમાં ઇબાદતની સઆદત (સૌભાગ્ય) યકીની રીતે હાસિલ થઇ જાય છે. –અનુવાદક (કિતાબુલ મસાઇલ : ર/૧૦૪)
હદીસ : હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.)થી છે, રહમતે આલમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું : મુઅતકિફ (એતિકાફ કરનાર) બધા ગુનાહોથી મહફૂઝ રહે છે અને તેને એટલો સવાબ મળે છે જેમકે, કોઇ માણસ પૂરી નેકીઓ કરી રહયો છે. (મિશ્કાત શરીફ : ૧૮૩)
હદીસ : હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.)થી રિવાયત છે, જે માણસે અલ્લાહ તઆલાની ખુશનુંદી અને રઝામંદી હાસિલ કરવા માટે ફકત એક દિવસનો એતિકાફ કર્યો, તો અલ્લાહ તઆલા શાનુહૂ તે મુઅતકિફ અને જહન્નમ વચ્ચે ત્રણ ખાઇઓ આડી કરશે, જે (લંબાઇ અને પહોળાઇમાં) ખાફિકયનથી વધુ વિસ્તૃત હશે. (અત્તરગીબ વત્તરહીબ : ર/૯૬)
સ્પષ્ટીકરણ : ખાફિકયનના બે અર્થ બયાન થયા છે : (૧) જેટલું અંતર પૂર્વ અને પશ્ચિમના દરમિયાન છે, (ર) જેટલું અંતર આસમાન અને જમીનના દરમિયાન છે.
ખુલાસો એ કે મુઅતકિફને દોઝખથી ઘણો દૂર રાખવામાં આવશે. અર્થાત જહન્નમમાં નહિ જાય.
Log in or Register to save this content for later.