Chapter : મસાઈલે એ'તિકાફ
(Page : 28)
એતિકાફ માટે સૌથી બેહતર જગા મસ્જિદે બયતુલ્લાહ છે, ત્યાર પછી મસ્જિદે નબવી છે, ત્યાર પછી મસ્જિદે બયતુલ મુકદ્દસ છે, પછી તે મસ્જિદ જેમાં જુમ્અહની નમાઝ થતી હોય, પછી મહોલ્લાની તે મસ્જિદ જેમાં નમાઝી વધારે આવતા હોય અને બીજી મસ્જિદ જ્યાં જુમ્અહ ન થતી હોય અને નમાઝી વધારે થતા હોય તો આ સૂરતમાં જામિઅ મસ્જિદમાં જ એતિકાફ કરવો અફઝલ છે, કેમ કે જુમ્અહની નમાઝ પઢવા બહાર જવું નહિ પડે. હા, જો મહોલ્લામાં બે જામિઅ મસ્જિદ હોય તો જેમાં વધુ નમાઝી આવતા હોય તે અફઝલ છે. (બદાઇઅ : ર/ર૮૧, આલમગીરી : ૧/ર૧૧)
Log in or Register to save this content for later.