Chapter : મસાઈલે એ'તિકાફ
(Page : 22)
એતિકાફની સાત શર્તો છે : (૧) મુસલમાન હોવું, (ર) આકિલ હોવું, (૩) એતિકાફની નિય્યત કરવી, (૪) બા–જમાઅત નમાઝ થનારી મસ્જિદમાં થોભવું, (પ) સુન્નત અને વાજિબ એતિકાફમાં રોઝહથી હોવું, (૬) મરદ અને ઓરતનું નાપાકીથી પાક હોવું, (૭) ઓરતનું હૈઝ (સ્ત્રીનો માસિક સ્ત્રાવ) અને નિફાસ (પ્રસૂતિ પછી થતો રકતતસ્ત્રાવ)થી ખાલી હોવું.
(આલમગીરી : ૧/ર૧૧, શામી : ૩/૩૮ર, મરાકિયુલ ફલાહ : ૩૮૧, ૩૮ર, બહરુર્રાઇક : ર/૩૯૯, તબ્યીનુલ હકાઇક : ર/રરર)
Log in or Register to save this content for later.