Chapter : મસાઈલે એ'તિકાફ
(Page : 24 to 27)
એતિકાફના ત્રણ પ્રકાર છે :
(૧) વાજિબ, (ર) મસ્નૂન, (૩) મુસ્તહબ યા નફલ. (આલમગીરી : ૧/ર૧૧, શામી : ૩/૩૮૩)
વાજિબ એ‘તિકાફનો પરિચય
જે એતિકાફની મન્નત માની હોય તે વાજિબ થઇ જાય છે. ચાહે મન્નત કોઇ શર્ત પર મૌકૂફ હોય. જેમ કે, મારું ફલાણું કામ થયું તો એતિકાફ કરીશ અથવા મન્નત કોઇ શર્ત પર મૌકૂફ ન હોય. જેમ કે, અલ્લાહ તબારક તઆલાના વાસ્તે મારા ઝિમ્મે આટલા (પાંચ–સાત) દિવસનો એતિકાફ કરવો વાજિબ છે. (ખાનિયહ : ૧/રર૧, ઇલ્મુલ ફિકહ : ર/૪૬૩)
મસાઇલે એતિકાફનો ટૂંકમાં ઉલ્લેખ કરવો યોગ્ય જણાય છે. વાજિબ એતિકાફની જરૂરત અનાયાસે પેશ આવે છે, એટલા માટે અહિંયા તેની વિગત બયાન કરવામાં નહિ આવે. જરૂરતના સમયે ભરોસાપાત્ર ઉલમાએ કિરામને પૂછી લેવું. હું ફકત બીજા અને ત્રીજા પ્રકારના એતિકાફના મસાઇલનો ઉલ્લેખ કરીશ.
મસ્નૂન એ‘તિકાફનું બયાન
મસ્નૂન એ‘તિકાફનો પરિચય
રમઝાનુલ મુબારકના અંતિમ દસ દિવસોના એતિકાફને મસ્નૂન એતિકાફ કહેવાય છે. (આલમગીરી : ૧/ર૧૧) તેનું પૂરું નામ સુન્નતે મુઅદહ અલલ કિફાયહ છે. (મરાકિયુલ ફલાહ રપ૭, શામી : ૩/૩૮૩)
સુન્નત અલલ કિફાયહ હોવાનો મતલબ
રમઝાનુલ મુબારકના અંતિમ દસ દિવસોનો એતિકાફ મોટા શહેરોના દરેક મોટા મહોલ્લાની કોઇ મસ્જિદમાં અને ગામડાંની પૂરી વસતિમાં કોઇ એક આદમી પણ એતિકાફ ન કરે તો બધા મહોલ્લાવાળાઓ અને બધા ગ્રામજનોના ઝિમ્મે સુન્નત છોડવાનો વબાલ રહે છે અને એક આદમી પણ એતિકાફમાં બેસી જાયતો આ સુન્નત બધાના ઝિમ્મેથી ઊતરી જશે અને એતિકાફ કરનારને સવાબ મળે છે. (બહરુર્રાઇક : ર/ર૯૯, શામી : ૩/૩૮૩)
પરંતુ બેહતર આ છે કે દરેક મસ્જિદમાં એતિકાફનો પ્રબંધ કરવો જોઇએ, કેમ કે અમુક ઉલમાએ કિરામે દરેક મહોલ્લાવાળાઓ માટે એતિકાફને સુન્નત ઠેરવ્યું છે. – અનુવાદક (અહસનુલ ફતાવા : ૪/૪૯૮, કિતાબુલ મસાઇલ : ર/૧૦૬, કિતાબુલ ફતાવા : ૩/૪પ૪, ફતાવા મહમૂદિય્યહ : ૧૦/રરર)
મસ્નૂન એ‘તિકાફનો તરીકો
રમઝાનુલ મુબારકની વીસમી તારીખે અસર પછી સૂરજ ડૂબ્યા પહેલાં અલ્લાહ તઆલાની ખુશનુદી માટે અંતિમ દસ દિવસોના એતિકાફની નિય્યત કરી મસ્જિદમાં દાખલ થઇ જાય અને જયારે શરઇ દષ્ટિએ ઇદના ચાંદનો પુરાવો મળી જાય તો એતિકાફ ખતમ કરે. આ એતિકાફ સૂરજ આથમ્યા પછી ખતમ થશે. (શામી : ૩/૩૮૧ થી ૩૮૪)
મસ્નૂન એ‘તિકાફની નિય્યત
મસ્નૂન એતિકાફની આટલી નિય્યત કરવી કાફી છે કે, ”અલ્લાહ તઆલાની ખુશી માટે હું રમઝાનુલ મુબારકના અંતિમ દસ દિવસોનો મસ્નૂન એતિકાફ કરું છું.” (આલમગીરી : ૧/ર૧૩)
મસ્નૂન એ‘તિકાફની નિય્યતનો સમય
એતિકાફની નિય્યત વીસ તારીખના સૂરજ આથમતા પહેલાં કરી લેવી જોઇએ. ચાહે મસ્જિદમાં દાખલ થતી વખતે કરે યા મસ્જિદમાં દાખલ થયા પછી કરે, પરંતુ જો સૂરજ આથમ્યા પછી થોડી વારે નિય્યત કરી તો આ એતિકાફ મસ્નૂન નહિ ગણાય, બલકે મુસ્તહબ થશે, કેમ કે નિય્યત કરતાં પહેલાં અંતિમ દસ દિવસોનો થોડો વખત એવો ગુજર્યો કે જેમાં એતિકાફની નિય્યત ન હતી એટલા માટે પૂરા દસ દિવસોનો એતિકાફ ન થયો. જો કે મસ્નૂન આ જ હતો. (ઇમ્દાદુલ ફતાવા : ર/૧પ૪)
Log in or Register to save this content for later.