એક માણસની ખબરથી ઈદ કરવી.

Chapter : રોઝહ

(Page : 252)

સવાલ(૩પ૭–૩):–  ઈદનો ચાંદ કોઈ પણ જગ્યાએ ર૯ મો દેખાયો ન હતો, બુધવારે કોઈ જગ્યાએ દેખાયો નહિં,હમોએ તરાવીહ પઢી,અને સેહરી પણ કરી,એજ રાત્રે અમારા ગામના માજી મુતવલ્લીનો છોકરો મુંબઈથી ટ્રેનમાં આવ્યો, સવારે ૪ વાગે અમારા ગામમાં આવે છે,અને તરત જ અમને બધાને કહે છે, મુંબઈ કુર્લામાં ચાંદ દેખાયો છે,અને આજે ઈદ છે,એટલે કે જુમેરાતે ઈદ છે, અમે સવાલ કર્યો,આ સમાચાર કોણે આપ્યા તો એ ભાઈના બનેવી જે અમારા ગામમાં બે વર્ષ પહેલાં દસ વર્ષ રહી ગયેલ અને પાંચ વખતના નમાઝી છે,એમણે ચાંદ જોયો છે, ઉપરાંત કુર્લામાં દરેક જગ્યાએ એ’લાન પણ કરી નાંખ્યું છે,ગામના લોકો મુતવલ્લીના ઘેર જમા થયા,પેશઈમામને બોલાવ્યા,એમનો મશવેરો લીધો,એમણે મશવેરો આપ્યો કે અબ્દુર્રહમાન ભાઈ જે કુર્લાથી સમાચાર મોકલે છે,તો એ સાચી વાત છે,અને અમારા ગામના દરેકનો રોઝો તોડાવી ઈદનો ખુત્બો પણ પઢી લીધો,એજ દિવસે બપોરે ૧ વાગે ગામનો બીજો માણસ મુંબઈથી આવ્યો તેણે કહયું મુંબઈમાં ઈદ થઈ નથી,આથી અમને ઘણો જ અફસોસ થયો,હવે જે માણસ કુર્લાથી આવ્યો હતો તેને પુછયું તો કહે છે કે ચાંદ દેખાયો એ સમાચાર સાંભળ્યા છે,તો એ માટે કોણ ગુનેહગાર થશે ?

જવાબ(૩પ૭–૩):– દર્શાવેલ હકીકત વાંચીને બહું અફસોસ થયો,ઈદના ચાંદ માટે શહાદત વગર એક ભાઈની ખબરથી રોઝો તોડવો જહાલત (અજ્ઞાનતા) છે,પ્રથમ નંબરનો ગુનેહગાર જુઠીં ખબર પહોંચાડનાર અને લાવનાર છે, તપાસ કર્યા વગર એવી જુઠી ખબર ફેલાવવી ન જોઈએ,બીજા નંબરના ગુનેહગાર પેશઈમામ તથા તેમના સાથીઓ (ખબરને માન્ય રાખી રોઝો તોડયો) રોઝો તોડવામાં ઉતાવળ કરી,ઉડતી (શરઈ શહાદત વગર) એવી ખબર આવતાં માન્ય રાખે નહિં,ઉતાવળ કરે નહિં,શરઈ શહાદત માંગવી જોઈએ,ચોકકસ શરઈ રૂએ ચાંદ સાબિત થાય તો જ એ’લાન કરવામાં આવે. ખૈર,મોટી ભૂલ કરી,ખુદાપાક માફ કરે,રોઝાની કઝા કરે,અને રડીને તૌબા કરે, એમાં કફફારો વાજિબ નથી. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.

(આલમગીરીઃ ૧/૧૯૮)

Log in or Register to save this content for later.