Chapter : રોઝા ન તોડનાર બાબતો
(Page : 257)
સવાલ(૩૬પ–૧૧):– ઈંજેકશન લેવાથી રોઝો તુટતો નથી, તો આપે કઈ દલીલના આધારે લખેલ છે ?
જવાબ(૩૬પ–૧૧):– રોઝાની હાલતમાં ઈંજેકશન લેવાથી રોઝો તુટતો નથી, કારણ કે ઈંજેકશનથી જે દવા પહોંચાડવામાં આવે છે,તેનો અસર રગોમાં અને નસોમાં પડે છે,પેટમાં અને દિમાગમાં દવા પહોંચતી નથી,એ બાબત આપને વધુ ખુલાસો મેળવવો હોય તો ફતાવા દારૂલ ઉલૂમમાં જોશો,કાનમાં દવા નાંખવાથી દિમાગ પર અસર પડે છે,અને નાકમાં પણ દવા નાંખવાથી દિમાગમાં અસર પહોંચે છે,એ કારણે રોઝો તુટી જાય છે. દર અસલ જે વસ્તુ દિમાગ અને જઠરમાં જાય તેનાથી રોઝો તુટે છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (આલમગીરીઃ ૧/ર૦૪. અઝીઝુલ ફતાવાઃ ૧/૪૮૮)
Log in or Register to save this content for later.