Chapter : રોઝહ
(Page : 253)
સવાલ(૩પ૮–૪):– હમારા ગામમાં ઓરતોમાં એવી હવા ચાલી છે કે અસર અને મગરિબની વચમાં કોઈ ખાતી–પીતી નથી,કોઈ ઠેકાણે જાય તો કહે છે અસરનો હમારો રોઝો છે,તો શું એ ખરૂ છે ? એ વિષે શરઈ હુકમ શું છે?
જવાબ(૩પ૮–૪):– સાબિત નથી,એ રોઝો કહેવાશે પણ નહિં,તેમજ રોઝાનો સવાબ પણ મળશે નહિં,અને રોઝો માની રાખવો જહાલત (દીનથી અજ્ઞાનતા) છે,રોઝો આખા દિવસનો (સુબ્હ સાદિકથી સુર્યોસ્ત સુધીનો) હોય છે, દિવસના અમૂક ભાગનો રોઝો રાખવાથી ભુખ તરસ સિવાય કંઈ મળશે નહિં. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(શામીઃ ૩/૩ર૭. આલમગીરીઃ ૧/૧૯૪)
Log in or Register to save this content for later.