Chapter : સિજદએ સહવ
(Page : 195)
સવાલ(ર૩૧–૧૧૧):– ઈમામ સાહબથી ભૂલમાં ઝોહર અથવા અસરની ફર્ઝ નમાઝ પઢાવતા બીજી રકાત અથવા પહેલી રકાતમાં સૂરત મેળવવાનું ભૂલી ગયા અને ત્રીજી અને ચોથી રકાતમાં પણ નહી મેળવી, તો શું સિજદએ સહવ કરવો જોઈએ? અને સિજદએ સહવ ન કરે તો શું નમાઝ થઈ જશે? અગર અત્તહિય્યાત પછી સિજદએસહવ ન કરે તો શું નમાઝ થઈ ગઈ કે નહિં? અને નમાઝ નહિં થઈ હોય તો હવે શુ કરવાથી નમાઝ થઈ જાય છે?
જવાબ(ર૩૧–૧૧૧):– ફર્જ નમાઝની પહેલી બે રકાતોમાં સૂરએ ફાતિહા સાથે સૂરત મેળવવી વાજિબ છે, બન્નેવમાં અથવા એકમાં સૂરત મેળવવાનું ભૂલી જાય તો સિજદએ સહવ વાજિબ થશે. ભલે ને એના બદલે પાછલી રકાતમાં પઢી લે, જો સિજદએ સહવ કરશે નહિં તો નમાઝ અધુરી થવાથી ફરી પઢવી પડશે, જેથી એ નમાઝ લોટાવી લેવામાં આવે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ ર/૧૩૩, હિદાયાઃ ૧/૧પ૭)
Log in or Register to save this content for later.