Chapter : સુર્યગ્રહણની નમાઝ
(Page : 216)
સવાલ(ર૭૬–૧પ૬):– તા.૧૬/ર/૮૦ ને શનીવારના રોજ સુર્યગ્રહણ થનાર છે,તે અહિંયા બપોરે રઃર૩ ના સમયે દેખાશે,અને ૪:પ૦ સુધી રહેશે,તો એમાં પઢવાની નમાઝ સુર્યગ્રહણ શરૂ થયેથી પુર્ણ થાય ત્યાં સુધીમાં કેટલી રકા’ત નમાઝ પઢવી ? આ નમાઝ સુર્યગ્રહણ શરૂ થાય ત્યારથી સુય્રગ્રહણ પુરૂ થાય ત્યાં સુધી પઢવી ? જે જણાવવા વિનંતી,એ નમાઝ બેસીને પઢવી કે ઉભા રહીને પઢવી ?
જવાબ(ર૭૬–૧પ૬):– સુર્યગ્રહણ સમયે (આરંભથી અંત સુધી) બે રકા’ત જમાઅત સાથે પઢવી સુન્નત છે,ઉભા થઈને પઢવી અફઝલ છે,બેસીને પણ જાઈઝ છે,અડધો સવાબ મળશે,ગ્રહણનો સંપૂર્ણ સમય નમાઝ પઢવી વાજિબ નથી,મુસ્તહબ છે,ઉકત ગ્રહણનો સમય વધુ લાંબો હોય મુસલ્લીઓનો ખ્યાલ રાખીને નમાઝ પઢવામાં આવે,બાકીનો સમય ઝિક્ર,તિલાવત,ઈસ્તિગફાર વિગેરેમાં ગુઝારે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(શામીઃ ૩/૬૭. હિદાયાઃ ૧/૧૭પ તથા ૧૭૬)
Log in or Register to save this content for later.