Chapter : સુર્યગ્રહણની નમાઝ
(Page : 217)
સવાલ(ર૭૭–૧પ૭):– સુર્યગ્રહણની શું હકીકત છે ? અમારે ત્યાં અમૂક લોકોનું કહેવું છે કે સુર્યગ્રહણ એ અઝાબની શકલ છે,હાંલાકે સુર્ય ગેરમુકલ્લફ (જેના પર શરીઅતના બંધન ન હોય) છે,પછી શા માટે એના ઉપર અઝાબની શકલમાં એની રોશની ખેંચી લેવામાં આવે ? હદીષ શરીફમાં એના વિષે હુઝૂર (સલ.) એ કંઈ બયાન ફરમાવ્યું છે ? એ દિવસે શું કરવું જોઈએ ? સર્વે લોકો ભેગા થઈ નમાઝ પઢી શકે છે કે નહિં ? જમાઅતખાનામાં જમાઅત કરે તો કોઈ વાંધો તો નહિં આવે ? કેટલી રકા’ત પઢે ? બે કે ચાર રકા’ત ? નમાઝમાં કિરાઅત આહિસ્તા પઢે કે અવાઝથી પઢે ? ખુલાસાવાર લખી જણાવ્વા મહેરબાની કરશો. કિરાઅતમાં શું પઢવામાં આવે ?
જવાબ(ર૭૭–૧પ૭):– સુર્યગ્રહણના કારણો વિષે ઈસ્લામ ચર્ચા કરતો નથી, હદીષ શરીફમાં છે કે સુર્યગ્રહણ કોઈના અવસાન કે મૃત્યુથી થતુ નથી, સુર્યગ્રહણ કોઈ મહાન ઘટનાના લઈને થાય છે એ માન્યતા ઈસ્લામ પૂર્વેની છે, બલ્કે સુર્યગ્રહણ અલ્લાહ તઆલાની નિશાની છે. ઉકત નિશાની દેખાય નમાઝ પઢીને ખુદાપાક તરફ લક્ષ કરવું જોઈએ,બે રકા’ત જમાઅતથી પઢવી સુન્નત છે,જમાઅતખાનામાં પઢી શકાય,કિરાઅત સિર્રી (આહિસ્તા)પઢવી મુસ્તહબ છે,જહરી (જોરથી) પઢવી પણ જાઈઝ છે,લોકોની રિઆયત કરી નમાઝ લંબાવ્વામાં આવે,સલામ ફેરવ્યા બાદ ગ્રહણ ખુલ્યુ ન હોય તો ઝિક્ર, ઈસ્તિગફારમાં પ્રવૃત રહે. એજ અલ્લાહપાક વધુ જાણનાર છે.
(શામીઃ ૩/૬૭. હિદાયાઃ ૧/૧૭પ તથા ૧૭૬)
Log in or Register to save this content for later.