સુબ્હે સાદિક પછી પઢેલી તહજજુદ.

Chapter : સુન્‍નત અને નફલ

(Page : 184)

સવાલ(ર૦પ–૮પ):–        તહજજુદની નમાઝ,ફજરની સુન્‍નતો, સુબ્હે સાદિક પહેલાં પઢી,પરંતુ તે તહજજુદનો વખત ન હતો,માત્ર ગુમાનથી પઢી,પછી જણાયું કે સુબ્હે સાદિક થઈ ગઈ છે,તો શું એ તહજજુદ ફજરની સુન્‍નતે મોઅકકદહમાં ગણાશે ? કે તહજજુદ ગણાશે ?

જવાબ(ર૦પ–૮પ):–  તહજજુદનો વખત સુબ્હે સાદિક સુધી છે,સુબ્હે સાદિક પછી પઢેલી નફલ નમાઝ તહજજુદ નથી,પરંતુ ફજરની સુન્‍નત ગણાશે,ફરી બીજીવાર ફજરની સુન્‍નતે મોઅકકદહ ન પઢે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.    (શામીઃ ર/૩૭. આલમગીરી)

Log in or Register to save this content for later.