Chapter : સુન્નત અને નફલ
(Page : 182)
સવાલ(૧૯૯–૭૯):– સુન્નતે મોઅકકદહ અને સુન્નતે ગેરમોઅકકદહની ચારે રકાતોમાં સૂરએ ફાતિહા પછી ચારે રકાતોમાં બીજી સૂરતો મેળવવી કે નહિં ? જો કોઈ મજકૂર ચાર રકાતોમાં બીજી સૂરતો મેળવતા ન હોય તો એ નમાઝ અદા થશે કે નહિં ?
જવાબ(૧૯૯–૭૯):– સુન્નતે મોઅકકદહ અને ગેરમોઅકકદહ બન્નેની બધી રકાતોમાં સૂરએ ફાતિહા સાથે બીજી સૂરત મેળવવી વિતરના જેમ વાજિબ છે, જેથી સુન્નતની કોઈ એક રકાતમાં સૂરત મેળવવાનું ભૂલી જાય તો સહવનો સિજદો વાજિબ થશે,સિજદો ન કરવાથી નમાઝ અધુરી રહેશે. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે.(મરાકિયુલ ફલાહઃ પેજ–પ૧. )
Log in or Register to save this content for later.