Chapter : સિજદએ તિલાવત
(Page : 194)
સવાલ(રર૮–૧૦૮):– નમાઝમાં કોઈ સિજદાની આયત પઢે છે,અને તુરત સિજદો કરે છે,પછી ઉભા થઈ તે પછીનું આગળ પઢવાને બદલે ભૂલ થી સૂરએ ફાતિહા અને સિજદાની આયત ફરી પઢે છે,તો તેમણે ફરી સિજદો કરવો જોઈએ ?
જવાબ(રર૮–૧૦૮):– પહેલો સિજદએ તિલાવત કાફી છે,ફરી કરવાની જરૂરત નથી, એક મજલિસમાં એક જ આયતે સિજદા અનેકવાર પઢવાથી એક જ સિજદો વાજિબ થશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(શામીઃ ર/પ૯૦. હિદાયાઃ ૧/૧૬૪)
Log in or Register to save this content for later.