સાહિબે તર્તીબની ઈમામત એક કારણે ફાસિદ.

Chapter : જેનાથી નમાઝ ફાસિદ થાય

(Page : 177)

સવાલ(૧૮૮–૬૮):–        કોઈ ઈમામે ફજરની નમાઝ અદા કરી ન હોય,તો ઝોહર પઢાવી શકે કે કેમ ? એવીજ રીતે ઝોહર,અસર,મગરિબ અને ઈશાં, આગલી નમાઝ અદા ન થઈ હોય તો બીજી નમાઝ  પઢાવી શકે કે નહિં ? એવીજ રીતે જુમ્‍આના દિવસે ફજરની નમાઝ પઢી ન હોય તો તે જુમ્‍આ પઢાવી શકે છે કે નહિં ?

જવાબ(૧૮૮–૬૮):–        જો સદરહુ ઈમામ સા. સાહિબે તર્તીબ હોય (જેની પાંચ નમાઝ છુટી ન હોય અને છુટી હોય તો કઝા કરી લીધી હોય) તો પ્રથમ કઝા પઢયા વગર બીજી નમાઝો (ઝોહર,જુમ્‍આ વિગેરે) પઢી કે પઢાવી શકે નહિં, ફાસિદ લેખાશે.એજ અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃર/પર૩,  હિદાયાઃ ૧/૧પ૪)

Log in or Register to save this content for later.