સય્યિદને ઝકાત આપી શકાય ?

Chapter : ઝકાત

(Page : 228)

સવાલ(૩૦૧–૬):–  સય્યિદને ઝકાતના નાણાં આપી શકાય કે નહિં ?

જવાબ(૩૦૧–૬):– સય્યિદને સદકએ વાજિબા (ઝકાત,ફિત્રો વિગેરે) આપવું જાઈઝ નથી, જેથી ઝકાત,ફિત્રો અદા થશે નહિં, ફરીથી આપવો પડશે. અલ્લાહના રસૂલ (સ.અ.વ.) એ મનાઈ કરેલ છે, ઝકાત માલનો મેલ છે, સાદાત (સય્યિદો) ને લાયક નથી,તેમનું અપમાન છે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.

(મિશ્કાતશરીફઃ ૧૬૧)

Log in or Register to save this content for later.