સફરની કઝા અસલી વતનમાં.

Chapter : સફરની નમાઝ

(Page : 199)

સવાલ(ર૪૧–૧ર૧):–     એક માણસ સફર અર્થે પોતાના  ગામથી બહાર ગામ જાય છે, જેની મસાફત ૪૮ માઈલ ઉપર છે, ત્યાં અને ત્યાંથી વાપસીમાં જે નમાઝો કઝા થાય છે તે કઝા નમાઝ ઘરે આવીને કસરમાં અદા કરવી પડશે કે પુરી પઢવી પડશે?

જવાબ(ર૪૧–૧ર૧):–     કસર પઢે, પુરી નહીં, કઝાનો હુકમ બદલતો નથી. ઘરે કઝા થયેલી સફરમાં પઢે તો પુરી પઢવી પડશે તેમાં ઘરે કસર નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.                (શામી :ર/૬૧૮, કાજીખાનઃ૧/૮ર)

Log in or Register to save this content for later.