સંસ્થા પાસે જમાં થયેલ રકમની ઝકાત.

Chapter : ઝકાત

(Page : 240)

સવાલ(૩ર૯–૩૪):–  કોઈ સોસાયટી,યતીમખાનું,મદ્રસો જેમકે વ્હોરા સોસાયટી અથવા આપણાં મદ્રસા જેવી સંસ્થાઓ પાસે લાખ બે લાખ જમા પડયા હોય તો,એ લોકો મજકૂર રૂપિયાની ઝકાત આપે કે કેમ ? જો ઝકાત ના હોય તો શું કારણથી એ રકમ પર ઝકાત નથી ?

જવાબ(૩ર૯–૩૪):–  સંસ્થાઓ પાસે જમા થયેલી રકમ ઉપર ઝકાત નથી. કારણ કે એ પૈસો ખુદાપાકનો છે,મોહતમિમ કે વહીવટકર્તા એના માલિક નથી,મૂળમાલિકે મિલકતમાંથી કાઢી નાંખી અલ્લાહ તઆલાના રસ્તામાં આપી દીધા,મુહતમિમ ઝકાત અદા કરવાના વકીલ છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

(નિઝામુલ ફતાવાઃ પેજ–૧૧૬)

Log in or Register to save this content for later.