સંસ્થામાં આપેલ ઝકાત કયારે અદા થશે. ?

Chapter : ઝકાત

(Page : 240)

સવાલ(૩ર૮–૩૩):–  અમારા ગામે એક સંસ્થા છે,જે સંસ્થા ગરીબોને મદદ,દવા,કપડાં,રોકડ રકમ વિગેરે આપે છે; કફન દફન માટે પણ આપે છે, અને એ સંસ્થા લિલ્લાહ અને ઝકાતના પૈસા રમઝાન શરીફમાં ઉઘરાવે છે, અને તે પૈસા ઘણો સમય જમા રહે છે,તે માટે શરીઅતનો શું હુકમ છે ? ઝકાત આપનારોની ઝકાત અદા થાય કે નહિં ? જેનો ખુલાસાવાર જવાબ આપશો.

જવાબ(૩ર૮–૩૩):–ઝકાત જયાં સુધી હકદારને આપી માલિક બનાવવામાં આવે નહિં ત્યાં સુધી ઝકાત અદા થતી નથી,ઉકત સંસ્થાના વહીવટકર્તા વકીલ છે, ગરીબોને જયારે ઝકાત મળશે ત્યારે અદા થશે,જેથી વહેલી તકે ઝકાત આપી દેવામાં આવે,જમાં રાખે નહિં. ફકત અલ્લાહપાકા વધુ જાણનાર છે.

(આલમગીરીઃ ૧/૧૭૦)

Log in or Register to save this content for later.