Chapter : જુમ્આની નમાઝ
(Page : 203)
સવાલ(રપ૦–૧૩૦):– સલામ મસ્નૂન બાદ અમારા ગામ કાપોદ્રામાં ૬પ, ઘર મુસલમાનોના અને ૧૧૦,ઘર હિંદુઓના,એટલે કુલ ૧૭પ, ઘરની વસ્તી છે, ગામમાં પોસ્ટ ઓફિસ, દવાખાનું,ગુજરાતી શાળા,મદ્રેસો છે,અંકલેશ્વર શહેરથી ત્રણ માઈલ દૂર આવેલું છે, શહેરમાં અવર–જવર માટે પાકો રોડ છે,”બસ” નો બંદોબસ્ત છે, પુછવાની બાબત એ છે કે અહિંયા ઘણાં વર્ષોથી જુમ્આ અને ઈદ પઢવાનું ચાલુ છે,પણ તેમાં અમૂક લોકો જુમ્અહ અદા કરે છે, અને અમૂક ઝોહર અદા કરે છે,અથવા શહેરમા જુમ્અહ અદા કરે છે,તો શું ઉપરોકત ગામમાં જુમ્અહ અદા કરવી સહીહ છે અથવા નહિં ? જો સહીહ નથી તો ઈમામ સાહબે શું કરવું જોઈએ ? કેમકે ઈમામ સા.ને તો ગામમાં જુમ્અહ અદા કરતા લોકો માટે અહિંયા જુમ્આ પઢાવવી જ પડે છે ?
જવાબ(રપ૦–૧૩૦):– આપણાં હનફી સરણીમાં જુમ્આ તથા ઈદૈન ની અદાયગી માટે શહેર કે કસ્બો હોવું શર્ત છે,નાના ગામમાં દુરૂસ્ત નથી,ઝોહર પઢે,જો શહેર નજીક હોય તો ત્યાં જઈને જુમ્અહ,ઈદ પઢે,જો નાના ગામવાસીઓ જુમ્આ પઢશે તો વ્યર્થ લેખાશે,અને ઝોહરનો ફર્ઝ માથે બાકી રહેશે,અને ગુનેહગાર ઠેરશે, ઉકત મસઅલો મુસલ્લીઓને જણાવી દેવામાં આવે,શહેર કે કસ્બાની વ્યાખ્યા ઉર્ફ ઉપર અવલંબિત છે,આથી ઉકત કાપોદ્રા ગામ ત્યાંના ઉર્ફમાં કસ્બો લેખાતુ હોય તો જુમ્આ પઢી શકો છો,નહિં તો ઝોહર પઢવી જોઈએ,પરંતુ જુમ્આ ગત ઘણાં વરસોથી પઢાતી હોય,બંધ કરવામાં ઝઘડો ઉપસ્થિત થવાનો વધુ ભય હોય તો ચાલુ રાખે,બાદમાં ઝોહર પઢી લેવી. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે.
(શામીઃ ૩/પ, આલમગીરીઃ૧/૧૪પ, ઈમદાદુલ ફતાવાઃ૧/૬ર૦)
Log in or Register to save this content for later.