વ્યાજે ધીરનારને ઝકાત .

Chapter : ઝકાત

(Page : 242)

સવાલ(૩૩પ–૪૦):–  એક મુસલમાન માણસ ઝકાતનો હકદાર હોય અને તેને ઝકાતના નાણાં આપવામાં આવે,તે માણસ ઝકાતના નાણાં તથા પોતાના ધંધા અથવા મજૂરીની રકમમાંથી કરકસર કરી બચાવેલ અમૂક પૈસા વ્યાજે બીજાને આપે છે, તો એવા માણસને ઝકાત આપવી યોગ્ય છે કે નહિં.? ઝકાત લેનાર, ઝકાત આપનારનો કુટુંબી છે. તો એ વિષે શરીઅતનો શું હુકમ છે ?

જવાબ(૩૩પ–૪૦):–  જો એ વ્યાજે ધીરનાર માણસ ઝકાતનો હકદાર હોય એટલે જરૂરિયાત ઉપરાંત નિસાબનો માલિક ન હોય તો એને ઝકાત આપવાથી ઝકાત અદા થઈ જશે,પરંતુ એવા માણસને ઝકાત આપવી ઠીક નથી,જેમકે જુગારી, શરાબીને દેવી ઠીક નથી, કારણ કે ઝકાતની રકમથી જુગાર રમશે, શરાબ પીશે. ઝકાત તથા સદકો નેક માણસને આપવું બેહતર છે, તેમાં પણ ખાસ કરી એવા માણસોને આપો કે જે શરમના લઈ સવાલ કરતાં ફરતાં ન હોય,અને કુટુંબી સગાને ઝકાત આપવાથી ડબલ સવાબ મળશે. એક ઝકાત સદકાનો; બીજો સિલારેહમીનો. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.                     (શામીઃ ૩/ર૯૩. આલમગીરીઃ ૧/૧૮૭ તથા ૧૯૦)

Log in or Register to save this content for later.