વેપારી કંપનીના શેરો પર ઝકાત છે.

Chapter : ઝકાત

(Page : 236)

સવાલ(૩રર–ર૭):–    શેરોમાં રોકાયેલી મુંડી પર ઝકાત લાગુ પડશે કે નહિં ? મોટા ભાગના લોકો એવું સમજે છે કે શેરો પર ઝકાત નથી,આજ કાલ તો શાદીઓમાં પણ એવો રિવાજ થઈ ગયો છે,કે સોના–ચાંદીના ઘરેણાં ન બનાવતાં શેરો રાખવા સારા,જેની આવક મળતી રહે,અને ઝકાત પણ આપવી ન પડે,તો એ વાત સમજમાં આવતી નથી,શું એ બાબત ખરી છે.? અને જો ઝકાત લાગું પડતી હોય તો એનો હિસાબ કેવી રીતે કરવો ? કારણ કે એમા ભાવો વધઘટ થાય છે. દા.ત. એક કંપનીએ જયારે શેરો ઈસ્યુ કર્યા ત્યારે એક શેરની કિંમત રૂપિયા દસ હતા,ત્યારે ઝૈદે પચાસ શેર ખરીદયા,જે કુલ પાંચસો રૂપિયાના થયા હતા,પછી એનો ભાવ વધી ગયો,ત્યારે અહમદે રૂપિયા વીસના ભાવે પચાસ શેર ખરીદયા, તો તે રૂપિયા હજારના થયા હતા, હવે આજે એનો ભાવ એક શેરના રૂપિયા ચાલીસ છે,તો બન્‍નેએ ઝકાત કેવી રીતે અદા કરવી ?

                અમૂક વાર બોનસથી પણ શેરની સંસ્થામાં વધારો થાય છે,અમૂક વાર ભાવ મુળ કિંમતથી ઘટી જાય છે,અને અમૂક વાર ખરીદ કિંમતથી ઘટી જાય છે. દાખલારૂપે એક કંપનીએ રૂપિયા ”સો” ના એકના હિસાબે શેર ઈસ્યુ કર્યા હતા, ત્યારે સઈદે મુળ કિંમતે પાંચ શેર ખરીદયા હતા,જે કુલ ૧૦૦/– ના થયા હતા, પાછળથી ભાવ વધ્યા અને રૂપિયા ૧ર૦/– થયા ત્યારે ઉમરે પાંચ શેર રાખ્યા,જે ૬૦૦/– રૂપિયાના થયા હતા, અત્યારે એની કિંમત ઘટી ૯૦/– રૂપિયા થઈ ગઈ છે,તો બન્‍નેવે એવા સમયે કેવી રીતે ઝકાત અદા કરવી ?

જવાબ(૩રર–ર૭):–  વેપારી કંપનીના શેરો અથવા નફાથી વેચવા માટે ખરીદેલા શેરો ઉપર ઝકાત લાગુ પડશે, કારણ કે એ વેપારી માલના હુકૂમમાં છે,વર્ષ વિત્યા બાદ ઝકાત કાઢવી પડશે,તે સમયે શેરોનો જે ભાવ બજારમાં હોય તે લેખે ઝકાત આપે. ફકત  અલ્લાહપાક વધુ જાણનાર છે.

(આલમગીરીઃ ૧/૧૭૪. નિઝામુલ ફતાવાઃ પેજ–૧૦૮)

Log in or Register to save this content for later.