Chapter : નમાઝના વિવિધ મસાઈલ
(Page : 223)
સવાલ(ર૯૧–૧૭૧):– ચાલુ નમાઝમાં હવા છુટી જાય છે, આમ જયારે પણ નમાઝ પઢું છું,હવા છુટી જાય છે, મને હવા છુટવાની બીમારી છે,માટે મારે શું કરવું જોઈએ ? ઘડી ઘડી વુઝૂ કરવું કે નહિં ?
જવાબ(ર૯૧–૧૭૧):– હવા છુટવાની બીમારી એક નમાઝના પુરા વખતને ઘેરી લે,એટલે ફર્ઝ નમાઝ પઢવાનો મોકો હદસ (હવા છુટવા) વિના મળે નહિં તો માઅઝૂર લેખાશે,માઅઝૂરનો હુકમ આ છે કે દરેક નમાઝના ટાઈમે વુઝૂ કરી નમાઝ પઢે,ભલેને હવા છુટતી રહે,એ બીમારીથી વુઝૂ તુટશે નહિં, દરેક નમાઝના વખતે વુઝૂ કરવું પડશે,માઅઝૂર થયા બાદ બીજી નમાઝોના વખતોને ઘેરી લેવું શર્ત નથી,બલ્કે પુરા ટાઈમમાં એક વાર પણ બીમારી જણાય ત્યાં સુધી માઅઝૂર લેખાશે,જયારે પુરો વખત તંદુરૂસ્તીથી (ઉપરોકત ઉઝર વગર) પસાર થઈ જાય,ત્યારે માઅઝૂર ગણાશે નહિં. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.
(શામીઃ ૧/પ૦૪. હિદાયાઃ ૧/૬૭)
Log in or Register to save this content for later.