વરસ દર્મિયાન મળેલ રકમની ઝકાત.

Chapter : ઝકાત

(Page : 230)

સવાલ(૩૦૬–૧૧):–  મારી દુકાનમાં ૧૪૦૦ રૂપિયા સુધીનો માલ છે, એમાંથી વકરાના આવેલા,રોજના જમા થયેલા એ રૂપિયા ૧૪૦૦ ના માલ માંથી ૮૦૦ રૂપિયા વકરાના રોકડા છે; એમાંથી કેવી રીતે ઝકાત આપવી ?

જવાબ(૩૦૬–૧૧):–  વરસ દર્મિયાન પ્રાપ્ત થયેલ રકમને અસલ મુંડી સાથે મેળવી દેવામાં આવશે,મુળ મુંડી ઉપર વરસ પુરૂં થાય ત્યારે બધાની (મુળમુડી ,નફો,વેચવાનો માલ) ઝકાત આપવી પડશે,સારાંશ કે વરસ દર્મિયાન મળેલી રકમ ઉપર અલગ વરસ વિતવું જરૂરી નથી,મુળમુંડીના તાબે ગણાશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.           (હિદાયાઃ૧/૧૯૩. આલમગીરીઃ ૧/૧૭પ)

Log in or Register to save this content for later.