વતને ઈકામતમાં પંદર દિવસની નિય્યત ન હોય.

Chapter : સફરની નમાઝ

(Page : 201)

સવાલ(ર૪પ–૧રપ):–     ઝૈદ વતને ઈકામતમાં છે અને પંદર દિવસના અંદર અંદર વતને અસલી જવાનો ઈરાદો કર્યો તો તે પંદર દિવસથી અંદરની નમાઝો કસર પઢે કે પુરી પઢે?

જવાબ(ર૪પ–૧રપ):–     વતને ઈકામત જો વતને અસલીથી દૂર છે અને પંદર દિવસથી કમમાં વતને અસલી જવાનો ઈરાદો છે તો કસર પઢશે, જયાં સુધી પંદર દિવસ ઈકામતની નિય્યત નહીં કરે વતને ઈકામત ન થશે અને વતને અસલીમાં દાખલ થતા જ પુરી પઢવી પડશે, ભલે તે દિવસે જવાનો ઈરાદો હોય, વતને ઈકામત સફરથી બાતિલ થઈ જશે, વતને અસલી સફરથી બાતિલ નથી થતું. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.          (શામીઃર/૬૧પ)

Log in or Register to save this content for later.