Chapter : સફરની નમાઝ
(Page : 202)
સવાલ(ર૪૭–૧ર૭):– જો કોઈ માણસ વતને ઈકામતમાં રહેતો હતો,કામસર શરઈ સફર કરી થોડા દિવસ બાદ પોતાના ઈકામતના વતન પર પાછો આવ્યો,તો તેણે એવો ઈરાદો કર્યો કે એક યા બે દિવસ થોભીને વતને અસલી જવું છે,તો એવી હાલતમાં તે વતને ઈકામતમાં થોભ્યો તો તે એક યા બે ત્રણ દિવસ મુસાફિર રહેશે યા મુકીમ ? ખુલાસાવાર જવાબ આપશો.
જવાબ(ર૪૭–૧ર૭):– એ મુસાફિર લેખાશે, કસરની નમાઝ પઢશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (હિદાયાઃ ૧/૧૬૬ )
Log in or Register to save this content for later.