લંગોટ,બ્રેસિયર સાથે નમાઝ.

Chapter : નમાઝના વિવિધ મસાઈલ

(Page : 221)

સવાલ(ર૮૮–૧૬૮):–  નમાઝ પઢતી વખતે લુંગીના નીચે લંગોટ પહેરયા વિના નમાઝ પઢીએ તો નમાઝ થઈ જશે કે નહિં ? કારણ કે અમૂક માણસ કહે છે કે લંગોટ વિના નમાઝ થતી નથી,અને એમ પણ કહે છે કે સ્ત્રી પણ બ્રેસિયર પહેરયા વિના નમાઝ પઢી શકતી નથી,તો શું પુરૂષોએ લુંગીના નીચે લંગોટ અને સ્ત્રીઓએ ફરાકની અંદર બ્રેસિયર પહેરવું જરૂરી છે,? વિગતવાર જવાબ આપશો.

જવાબ(ર૮૮–૧૬૮):–  નમાઝ દુરૂસ્ત થશે.નમાઝ માટે સતર ઢાંકવું જરૂરી છે,લુંગીથી સતર ઢંકાય જાય છે,ચડ્ડી–લંગોટ પહેરવાની જરૂર નથી,વિના ચડ્ડીએ પઢેલી નમાઝમાં કાંઈ ઉણપ આવશે નહિં,તેમજ સ્ત્રી માટે ફરાક નીચે બ્રેસિયર પહેરવાની જરૂર નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

(શામીઃર/૭પ તથા ૭૬, આલમગીરીઃ૧/પ૮)

Log in or Register to save this content for later.