મજબૂર સય્યિદને ઝકાત આપવી.

Chapter : ઝકાત

(Page : 229)

સવાલ(૩૦૩–૮):–એક સય્યિદ,જે ગરીબ અને આઠથી દસ હજારનો કરજદાર હોય તેના ઘર બાંધવા માટે ઝકાત,ફિત્રા સદકા તથા બેન્ક–વ્યાજની રકમથી મદદ કરી શકાય કે નહિં,? તેવીજ રીતે સય્યિદની છોકરી જે બેવા છે, અને ઔલાદમાં ત્રણ છોકરીઓ છે,તેના માં–બાપ ભાઈઓ તરફથી કોઈ સહારો નહી હોય તેની મદદ માટે ઝકાત,ફિત્રા સદકા તથા બેન્ક–વ્યાજથી મદદ કરી શકાય કે નહિં ? જે જણાવશો.

જવાબ(૩૦૩–૮):– ઝકાત,ફિત્રા માલનો મેલ હોવાથી સય્યિદોને આપી શકાય નહિં, રસૂલુલ્લાહ (સ.અ.વ.) એ મનાઈ ફરમાવી છે,સારા સાફ માલથી એમની મદદ કરવી જોઈએ,પરંતુ ઉકત દર્શાવેલ સખત મજબૂરીમાં પાછલા મુફતીયોએ ગુંજાઈશ–છુટ કાઢી છે,જો ખરેખર સદરહુ સય્યિદો, આર્થિક રીતે સખત તકલીફમાં હોય તો ના છુટકે ઝકાત ફિત્રો લઈ શકે છે,વિના જરૂરતે પરહેઝ કરે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(શામીઃ ૩/૧૭ર,૧૭૩. ફતાવા દારૂલ ઉલૂમઃ ૬/રર૩)

Log in or Register to save this content for later.