બેનમાઝીને ઝકાત આપવી કે નહિં ?

Chapter : ઝકાત

(Page : 242)

સવાલ(૩૩૩–૩૮):– અમારા પાસે ઝકાતના પૈસા છે,જે ગરીબ માણસોને થોડા થોડા આપીએ છીએ,પરંતુ તે માણસો નમાઝ પઢતા નથી,તો એવા માણસને ઝકાત આપી શકાય ? તેઓની વારંવાર માંગવાની આદત થઈ જાય છે,એ વિષે શું હુકમ છે ?

જવાબ(૩૩૩–૩૮):–  જો તેઓ ગરીબ,નિરાધાર (શરીઅતની રૂએ નિસાબના માલિક ન) હોય તો તેમને ઝકાત આપી શકાય,ઝકાત અદા થઈ જશે,પરંતુ પોતાના સગામાં જે ગરીબ મોહતાજ હોય તેને આપવી અફઝલ છે, અને સવાબ પણ ડબલ મળશે,એક સવાબ ઝકાતનો અને બીજો સવાબ સિલા રેહમીનો, તેમાં પણ નેક માણસને સરસાઈ આપવામાં આવે,અને સમાજમાં જેઓ મોહતાજ–નિરાધાર હોવા છતાં,ઈઝઝતનાં લઈ કોઈના સામે સવાલનો હાથ લંબાવતા નથી એવા માણસોને તલાશ કરી ઝકાત આપવી જોઈએ,તેઓ વધુ હકદાર છે. ભીખ માંગનારા અથવા માંગનાર લોકો તો માંગીને પણ પેટ ભરશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.            (ઈમદાદુલ ફતાવાઃર/૧ર)

Log in or Register to save this content for later.