Chapter : જુમ્આની નમાઝ
(Page : 213)
સવાલ(ર ૬૮–૧૪૮):–અમો બાર્બોડસમાં રહીએ છીએ,ત્યાં ૪પ૦ મુસ્લિમોની વસ્તી છે,ત્યાં બે મસ્જિદ છે,એક જુમ્આ મસ્જિદ બીજી સીટી મસ્જિદ છે,બન્ને મસ્જિદ વચ્ચે અંતર ત્રણ ફર્લાંગ છે,દર મહિને બન્ને મસ્જિદમાં વારા ફરતી ર૪ કલાકનો ઈજતેમાં રાખવામાં આવે છે,અને ઈજતેમાં જુમેરાતના મગરિબથી શરૂ થાય છે,અને જુમ્આના મગરિબે ખતમ થાય છે,હવે અમુક ભાઈઓનું કહેવું છે કે ઈજતેમાના દિવસે જે મસ્જિદમાં ઈજતેમાં હોય ત્યાં બધા સાથે મળી જુમ્આની નમાઝ અદા કરે,તો બધા ભાઈઓ દીનની વાતોથી વધુ લાભ ઉઠાવી શકે,આ સવાલ મુકતા એક ભાઈ કહે છે કે અમારી જામેઅ મસ્જિદ છોડીને સીટીની મસ્જિદમાં જુમ્આની નમાઝ પઢે તો અમારી આ જામેઅ મસ્જિદના એહતેરામમાં ખલલ આવશે,તો આ વિષે શરીઅતનો હુકમ જણાવશો ?
જવાબ(ર૬૮–૧૪૮)ઃ– – એ ભાઈનું મંતવ્ય (જામેઅ મસ્જિદમાં જુમ્આ ન પઢવાથી એહતેરામ માં ખલલ આવશે) ખોટું છે. કાંઈ ખલલ આવશે નહિં, અને જમાઅત ગુનેહગાર થશે નહિં,બલ્કે મુસ્તહબ અને અફઝલ આ છે કે એ જ મસ્જિદમાં જુમ્આ પઢવામાં આવે,ખાસ કરીને ઈજતેમાં વેળા પોતાની ઈસ્લાહના હેતુથી જામેઅ મસ્જિદ છોડી ઈજતેમાંની મસ્જિદમાં નમાઝ પઢવી જોઈએ,દરેક મુસ્લિમે પોતાની ઈસ્લાહ કરવી વાજિબ છે,જેથી એવા દીની કાર્યક્રમમાં ભાગ્યશાળી થવું જોઈએ,તબ્લીગી કાર્ય મુસ્લિમોની ઈસ્લાહ માટે ઘણું જ લાભદાયક છે,પોતાની ઈસ્લાહ સાથે જરૂરી ઈલ્મે દીન પ્રાપ્ત થાય છે,જેથી દરેક ભાઈએ હિસ્સો લેવો જોઈએ,વળી અમૂક ઈમામ તો એક સીટીમાં એક જ જગ્યાએ જુમ્આ પઢવાની તાકીદ કરે છે,અનેક મસ્જિદોમાં મના લખે છે,પરંતુ લોકોની તકલીફના ખ્યાલથી વધુ જગ્યાએ જુમ્આ પઢવાની ગુંજાઈશ કાઢી છે, સારાંશ કે જામેઅ મસ્જિદ છોડી ઈજતેમાંની મસ્જિદમાં જુમ્આ વિના વાંધે દુરૂસ્ત છે,કોઈ ગુનોહ લાગુ પડશે નહિં. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે. (શામીઃ ૩/૧પ. મરાકિયુલફલાહઃ પેજ–૧ર૪)
Log in or Register to save this content for later.