ફાસિક હાફિઝ ઈમામની તરાવીહ પઢાવવી.

Chapter : તરાવીહ

(Page : 187)

સવાલ(ર૧૦–૯૦):–        રમઝાનમાં હાફિઝ નહિ હોવાને લઈ અલમતર” થી તરાવીહ પઢીએ છીએ,અને જે માણસ તરાવીહ પઢાવે છે તે દાઢી રાખતા નથી,પાંચ ટાઈમની નમાઝના પાબંદ નથી,સીનેમા વિગેરે પણ જુએ છે, તો એવો માણસ તરાવીહ પઢાવી શકે છે ?

જવાબ(ર૧૦–૯૦):–        હાફિઝ મળતા ન હોય તો અલમ્તર”  ની તરાવીહ જમાઅતથી પઢવી જોઈએ,ફાસિક હાફિઝ કરતાં પરહેઝગાર બિન હાફિઝને ઈમામ બનાવવો જોઈએ,ભલેને સુરતોથી તરાવીહ પઢાવે ! ફાસિકની ઈમામત મકરૂહે તહરીમી છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ ર/ર૯૮. ઈમદાદુલ ફતાવાઃ૧/૩પ૧)

Log in or Register to save this content for later.