ફજરની સુન્નતે મોઅકકદહ અને હનફી.

Chapter : સુન્‍નત અને નફલ

(Page : 183)

સવાલ(ર૦ર–૮ર):–         ફજરની જમાઅત ઉભી થઈ ગઈ છે,ઈમામ સાહબે કિરાઅત શરૂ કરી દીધી છે,એક માણસ આવ્યો અને જમાઅતમાં મળી ગયો,ત્યાર બાદ તેણે સુન્‍નતો પઢી નહિં,જમાઅત બાદ મારે સુન્‍નતની કઝા કરવાની નથી કેમકે હું હનફી છું,માટે ખુલાસાવાર લખી જણાવશો.

જવાબ(ર૦ર–૮ર):–         સર્વે સુન્‍નતોમાં ફજરના સુન્‍નત વધુ મોઅકકદહ છે, એની બાબત ઘણી તાકીદ આવી છે.જમાઅત ઉભી થઈ ગઈ હોય છતાં ફજરની સુન્‍નત પઢવાનો હુકમ છે,એક રકાત મળવાની આશા હોય ત્યાં સુધી પઢી લેવી જોઈએ,છોડે નહિં,એક રકાત પણ મળવાની ઉમ્મીદ ન હોય તો સુન્‍નત છોડી જમાઅતમાં શામિલ થઈ જવું જોઈએ. અમૂક આલિમોએ તો છેલ્લો કાયદહ મળવાની વકી હોય ત્યાં સુધી પઢવાનું લખ્યું છે.જમાઅતમાં શામિલ થવાથી એકલી સુન્‍નત છુટી ગઈ હોય તો કઝા નથી,ઈમામ મુહમ્મદ (રહ.) સુર્યોદય બાદ કઝા કરવાનું કહે છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.        (હિદાયાઃ ૧/૧પર.  શામીઃ  ર/૪પ૩)

Log in or Register to save this content for later.