ફજરની કઝા નમાઝ, ઝોહરના સમયમાં.

Chapter : કઝા નમાઝ

(Page : 191)

સવાલ(ર૧૮–૯૮):–        ફજરની નમાઝ કઝા થઈ ગઈ,તે માણસ ઝોહરના સમયે મસ્જિદમાં આવ્યો ત્યારે ઝોહરની જમાઅત થઈ રહી હતી,તો પહેલાં ઝોહરની નમાઝ પઢે કે ફજરની કઝા પઢે ?

જવાબ(ર૧૮–૯૮):–        જો એ માણસ સાહિબે તર્તીબ (અર્થાત યુવાન થયા પછી નમાઝો કઝા ન થઈ હોય,અથવા કઝા થઈ હોય તો બધી નમાઝો પઢી લીધી હોય અને એક નમાઝ પણ સિરે બાકી ન હોય એવો માણસ) હોય તો પ્રથમ ફજરની નમાઝ પઢી લે પછી ઝોહરની જમાઅતમાં શામેલ થાય,અને જો સાહિબે તર્તીબ ન હોય તો ઝોહરની નમાઝ અદા કરી લે,પછી ફજરની કઝા પઢે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.  ( મરાકિયુલ ફલાહઃ પેજ–૧૦૮)

Log in or Register to save this content for later.