Chapter : કઝા નમાઝ
(Page : 191)
સવાલ(ર૧૮–૯૮):– ફજરની નમાઝ કઝા થઈ ગઈ,તે માણસ ઝોહરના સમયે મસ્જિદમાં આવ્યો ત્યારે ઝોહરની જમાઅત થઈ રહી હતી,તો પહેલાં ઝોહરની નમાઝ પઢે કે ફજરની કઝા પઢે ?
જવાબ(ર૧૮–૯૮):– જો એ માણસ સાહિબે તર્તીબ (અર્થાત યુવાન થયા પછી નમાઝો કઝા ન થઈ હોય,અથવા કઝા થઈ હોય તો બધી નમાઝો પઢી લીધી હોય અને એક નમાઝ પણ સિરે બાકી ન હોય એવો માણસ) હોય તો પ્રથમ ફજરની નમાઝ પઢી લે પછી ઝોહરની જમાઅતમાં શામેલ થાય,અને જો સાહિબે તર્તીબ ન હોય તો ઝોહરની નમાઝ અદા કરી લે,પછી ફજરની કઝા પઢે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. ( મરાકિયુલ ફલાહઃ પેજ–૧૦૮)
Log in or Register to save this content for later.