ફકત બે તોલા સોનાં પર ઝકાત છે ?

Chapter : ઝકાત

(Page : 238)

સવાલ(૩રપ–૩૦):–  હાલના સંજોગોમાં કેટલા તોલા સોનું હોય તો ઝકાત આપવી વાજિબ છે ? કેટલાક વિશ્વાસપાત્ર માણસોનું એવું કહેવું છે કે હાલના સંજોગોમાં ફકત બે તોલા સોનું હશે તો પણ ઝકાત વાજિબ થઈ જશે, કારણ કે હાલમાં સોનાનો ભાવ ઘણો વધી ગયો છે,જેથી બે તોલા સોનાંનો માલિક પણ માલદાર ગણાય,ટુંકમાં એ કે પહેલાનાં સાત તોલાની કિંમત આજે બે તોલા સોનાંની કિંમત જેટલી થાય છે,જેથી આજના બે તોલા સોનાના માલિકે પણ ઝકાત આપવી જોઈએ,એવું સાંભળ્યું છે,જેથી આપ ખુલાસો ફરમાવશો.

જવાબ(૩રપ–૩૦):–  કોઈ માણસ પાસે એકલું સોનું જ હોય તો સાડા સાત તોલા (અગર એથી વધુ) હશે તોજ ઝકાત વાજિબ થશે,(નહિં તો નહિં.) સોનાની કિંમતનો એતિબાર કરવામાં આવશે નહિં,અલબત્ત એની સાથે થોડીક ચાંદી કે રોકડ રકમ હોય તો સોનાની કિંમત બજારપીઠે આંકી રોકડ રકમમાં મેળવી જો સાડા બાવન તોલા ચાંદીની કિંમત જેટલી રકમ થશે તો ઝકાત વાજિબ થશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.        (શામીઃ ૩/૧૭૪. )

Log in or Register to save this content for later.