નાના ગામમાં જુમ્આ પઢવા વિષે.

Chapter : જુમ્આની નમાઝ

(Page : 207)

સવાલ(રપપ–૧૩પ):–     હમારા ગામ મહુવેજ માં જુમ્‍આની નમાઝ થતી નથી, બાજુમાં કોસંબા છે,ત્યાં જુમ્‍આ થાય છે, કોસંબાથી મહુવેજ અઢી માઈલ દૂર છે,મે ગામવાસીઓને જુમ્‍આ પઢવા જવા વિષે કહયું,અને મિશકાત શરીફ તથા તિર્મિઝી શરીફના હવાલા આપ્યા,કે આપ (સ.અ.વ.) નું ફરમાન છે કે માણસ જુમ્‍આ પઢી રાતે ઘેર પહોંચી પોતાના બાલબચ્ચાં સાથે રાત ગુઝારી શકે તો તેના ઉપર જુમ્‍આ પઢવા જવું ફર્ઝ છે,ઉપરોકત હદીષ સામે રાખી મહુવેજના લોકો ઉપર જુમ્‍આ પઢવા જવું ફર્ઝ છે કે નહિં ?

જવાબ(રપપ–૧૩પ):–     ગામ મહુવેજવાસીઓ ઉપર જુમ્‍આ ફર્ઝ નથી, જુમ્‍આ માટે નજીકના શહેર અથવા કસ્બામાં જવું મુસ્તહબ છે, વાજિબ નથી, જેથી ન જવાથી ગુનેહગાર થશે નહિં,કારણ કે જુમ્‍આ શહેરમાં અથવા મોટા ગામમાં દુરૂસ્ત છે,મહુવેજ અલગ નાનુ ગામ છે. મિશ્કાત શરીફની ટાંકેલી હદીષ પ્રથમ તો એની સનદ જઈફ છે, હુજજત (દલીલ) ને પાત્ર નથી,અથવા એ હદીષ શરીફને ઈસ્તિહબાબ ઉપર લેવામાં આવશે,સારાંશ કે મહુવેજવાસીઓને જુમ્‍આનો આગ્રહ કરવામાં ન આવે,ગામમાં ઝોહર પઢી લેવાથી ફર્ઝ અદા થઈ જશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(હિદાયાઃ૧/૧૬૮, શામીઃ ૩/૩ર તથા ૩/પ)

Log in or Register to save this content for later.